પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી બાદ સંસદનું શિયાળુ સત્ર યોજાશે. તો સંસદના શિયાળુ સત્ર માટે તમામ વિપક્ષી પાર્ટીઓએ પોતાની કમર કસી લીધી છે.
11 ડિસેમ્બરે સંસદમાં શિયાળુ સત્ર શરૂ થશે. તે પહેલા એટલે કે 10 ડિસેમ્બરે વિપક્ષની તમામ પાર્ટીઓએ એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં શિયાળુ સત્રની રણનીતિ પર મંથન કરવામાં આવશે.
એટલું જ નહીં રામ મંદિર સહિત અન્ય ચાર મહત્વના મુદ્દાઓની પણ ચર્ચા થશે. આ બેઠક સંસદ ભવનમાં જ યોજાશે. સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ જે રીતે ભાજપ રામ મંદિર મુદ્દે આક્રમક છે તે જોતા વિપક્ષી પાર્ટીઓ પોતાની રણનીતિ તૈયાર કરી રહી છે.
બેઠકમાં એ વાત પર પણ વિચાર કરવામાં આવશે કે જો અયોધ્યા મુદ્દે વટહુકમ લાવવામાં આવે તો વિપક્ષનું વલણ કેવું રહેશે તે અંગે પણ ચર્ચા થશે.
તો ડાબેરી નેતા ડી.રાજાએ કહ્યું કે આ બેઠકમાં રામ મંદિર મુદ્દે ચર્ચા વિચારણા કરાશે. જ્યારે અયોધ્યા મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તો વટહુકમ કેવી રીતે લાવી શકાય. ભારત એક લોકતાંત્રિક દેશ છે. તો સરકાર તેના પર વટહુકમ કેવી રીતે લાવી શકે.