કાજુનું સેવન આમ તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ અમુક ખાસ હેલ્થ પ્રોબ્લેમ્સમાં તમારે કાજુનું સેવન ન કરવું જોઈએ.
કાજુ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
આ બીમારી ધરાવતા લોકોએ ન કરવું સેવન
જાણો સ્વાસ્થ્યને શું પહોંચી શકે છે નુકસાન
કાજુ (cashew) ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. એવામાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, જીંક, આયર્ન, મેંગનીઝ અને સેલેનિયમ જેવા મિનરલ તેમાંથી મળી આવે છે અને વિટામિન ઈ પણ ભરપૂર માત્રામાં મળી છે. શિયાળામાં રોજ કાજુનું સેવન સ્વાસ્થ્ય માટે સારૂ રહે છે. પરંતુ અમુક હેલ્થ પ્રોબ્લેમ્સમાં તમને કાજૂનું સેવન ન કરવું જોઈએ. તેનાથી બીમારી (cashew side effects) વધી શકે છે.
પેટ સાથે સંબંધી સમસ્યાઓ
કાજુનું વધારે સેવન કરવાથી પેટ સાથે સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને ડાઈઝેશન સાથે જોડાયેલી પ્રોબ્લેમ છે તો કાજુનું સેવન ન કરો.
વજન વધી શકે છે
વજન ઓછુ કરવા માંગતા લોકોએ કાજુનું સેવન ન કરવું જોઈએ. કાજુમાં કેલેરીનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે વજન વધી શકે છે.
એલર્જી થઈ શકે છે
ઘણા લોકોને કાજુની એલર્જી હોય છે. જો તમને કાજુ ખાવાથી શ્વાસ લેવામાં સમસ્યા, ચાઠા, ખંજવાડ, ઉલ્ટી અથવા તો ઝાડાની સમસ્યા થાય છે તો તેનું સેવન તરત બંધ કરી દો.
માથામાં દુઃખાવો
કાજુથી માથામાં દુઃખાવાની સમસ્યા થઈ શકે છે. કાજુમાં હાજર અમીનો એસિડ ટાઈરામિન અને ફેનેંલેથાઈલમાઈન માથાના દુઃખાવાનું કારણ પણ બની શકે છે. માથાના દુઃખાવા અને માઈગ્રેનથી પીડિત છો તો કાજુનું સેવન ન કરો.