ટીમ ઇન્ડિયાને 2004માં પાકિસ્તાન પ્રવાસ પર જવાની મંજૂરી આપનાર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું એક વાક્ય સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં રમી રહેલી ટીમના તમામ સભ્યોના યાદ રહેશે કે ‘खेल ही नहीं दिल भी जीतिए’
ભારત અને પાકિસ્તાનના સંબંધોના સુધારા માટે આ ઐતિહાસિક પ્રવાસને ઘણો મહત્વ માનવામાં આવ્યો હતો. ત્યારે ગત ઘણા વર્ષોથી ટીમ ઇન્ડિયા પાકિસ્તાનમાં કોઇ ક્રિકેટ સીરિઝ નથી રમી અને આશાઓની સાથે સૌરવ ગાંગુલી ટીમ સરહદ પાર જઇ રહી હતી જેમાં સચિન તેંડુલકર વિરેન્દ્ર સહેવાગ અનિલ કુંબલે રાહુલ દ્વવિડ વી.વી.એસ લક્ષ્મણ જેવા ખિલાડીઓ શામેલ હતા.
આ સમયે ટીમના મેનેજર રહેલા પ્રોફેસર રત્નાકર શેટ્ટીએ વાત કરતા કહ્યુ કે ''આ પ્રવાસ માત્ર અટલજીના કારણે જ સંભવ થયો હતો. તેઓ સંબંધ સુધારવા માટે ક્રિકેટની મદદ ઇચ્છતા હતા અને BCCIએ સરકારની મંજૂરી પછી ટીમ ત્યાં મોકલી હતી.''
પાકિસ્તાનને ટીમ ઇન્ડિયાએ વનડે સીરિઝમાં 3-2 અને ટેસ્ટમાં 2-1થી હરાવી. આ પ્રવાસ પર વિરેન્દ્ર સહેવાગે મુલ્તાન ટેસ્ટમાં 309 રનની ઇંનિગ રમી અને તેમનું નામ 'મુલ્તાનના સુલતાન' પડ્યુ.
ટીમના મેનેજેર રત્નાકર શેટ્ટીએ આગળ જણાવ્યુ કે ''ટીમની રવાનગીના દિવસે પ્રધાનમંત્રી કાર્યલાયથી સંદેશ આવ્યો કે પ્રધાનમંત્રી ટીમને મળશે જ્યારે સવારે તેમના આવાસે પહોંચ્યા અને ટીમના તમામ સભ્યોની સાથે તેમણે વાતચીત કરી ત્યારે નૌસેનાનું બેંડ વગાવડવામાં આવી રહ્યુ હતુ જેના પર દેશભક્તિના ગીત ચાલી રહ્યા હતા.''
રત્નાકર શેટ્ટીએ જણાવ્યુ કે તેમણે સૌરવ ગાંગુલીને એક સંદેશની સાથે બેટ આપ્યુ જેના પર લખ્યુ હતુ કે ‘खेल ही नहीं दिल भी जीतिए’. આ સાથે જ સૌરવને કહ્યુ કે આ પ્રવાસ ઘણો મહત્વનો છે અને મેચની સાથે લોકોના દિલ પણ જીતીને આવજો.
તેમણે આગળ જણાવ્યુ કે અટલજીએ ટીમની વિદાય પહેલા એક ગીત સાંભળવા માટે કહ્યુ અને તે ગીત હતુ ''હમ હોંગે કામયાબ એક દિન''. રત્નાકર શેટ્ટી આ પ્રવાસ પહેલા સુરક્ષાની વ્યવસ્થ જોવા માટે પહેલા પાકિસ્તાન પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીને પરત ફરી ને કહ્યુ કે કરાચી અને લાહોરમાં તેમની ફોટો લઇને લોકો ધન્યવાદના બૈનર લઇને ઉભા હતા.
આ સિવાય શેટ્ટીએ કહ્યુ કે વનડે સીરિઝ જીત્યા પછી અટલજીએ ફોન કરીને સૌરવ ગાંગુલીની સાથે વાત કરીને શુભકામનાઓ આપી. જોકે ટીમ ઇન્ડિયાના આ પ્રવાસનો ઘણો વિરોધ થયો હતો પરંતુ જીત પછી સૌરવ અને ટીમના તમામ સભ્યોને દેશમાં ઘણું માન આપવામાં આવ્યુ અને તેમણે દિલ જીતીને પ્રધાનમંત્રીને કરેલો વાયદો પૂરો કર્યો.