ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સાથે આગામી દિવસોમાં આધાર કાર્ડ સાથે લિંક કરવા થશે કે નહી? આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.
વાસ્તવમાં સોમવારે (19 ઓગસ્ટ, 2019)ના તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યુ કે, સોશ્યલ મીડિયા પ્રોફાઇલ્સના યૂઝર્સને આધાર નંબર સાથે લિંક કરવા જોઇએ, જેથી આંતકીના મેસેજ, પોનોગ્રાફી તથા ફેક ન્યૂઝ (ખોટા સમાચાર) પર લગામ લાગવી શકાય.
આમ, તો સુપ્રીમ કોર્ટ ફેસબુક ઇંકની અરજી પર સુનાવણી કરવા માટે રાજી થઇ છે, જેમાં યૂઝર્સને સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આધાર સાથે જોડવાની માંગ કરનારા કેસને મદ્રાસ, મુંબઇ અને મધ્યપ્રદેશની હાઇકોર્ટ્સથી સુપ્રીમ કોર્ટ ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ગૂગલ (Google), ટ્વિટર (Twitter), યૂટ્યૂબ (Youtube) અને બાકીને નોટિસ મોકલીને 13 સપ્ટેમ્બર સુધી વાત જવાબ આપવા માટે કહેવામાં આવ્યુ છે.
જસ્ટિટસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ઘ બોઝની બેન્ચે કહ્યુ કે, જે પક્ષોની નોટિસ નથી આપવામાં આવી, તેમને ઇમેલથી નોટિસ મોકલવામાં આવે. બેંચે કહ્યુ કે, યૂઝર્સની સોશ્યલ મીડિયા પ્રોફાઇલને આધાર સાથે જોડવાનો મામલો મદ્રાસ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે, તેના પર સુનાવણી ચાલુ રહેશે, પણ કોઇ અંતિમ નિર્ણય આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, ફેસબુક ઇંક તમિલનાડુ સરકારે તાજેતરમાં કરેલા સૂચનોનો વિરોધ કરી રહી છે. ફેસબુક ઇંકનો તર્ક છે કે, 12 આંકડાના આધારે નંબર શૅર કરવાની યૂઝર્સની ગુપ્તતા જાળવવાની નીતિનું ઉલ્લંઘન કર્યુ થશે. ફેસબુક ઈંક મુજબ, તે ત્રીજા પક્ષની સાથે આધાર નંબર શેર ન કરી શકે, કેમકે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp મેસેજને કંઇ બીજું જોઇ શકે નહી અને ત્યાં સુધી કે તેમની પણ પહોંચ નથી.