ટી-20 વર્લ્ડ કપમાં શું વિરાટ કોહલી ઓપનિંગ કરશે. આ સવાલનો જવાબ આપતા કેએલ રાહુલે સારી રીતે કહ્યું કે તમે શું ઈચ્છો છો કે હું બહાર રહૂ.
ટી-20 વર્લ્ડ કપમાં શું વિરાટ કોહલી ઓપનિંગ કરશે?
કે એલ રાહુલે આપ્યો સરસ જવાબ
‘તમે શું ઈચ્છો છો કે હું બહાર રહૂ?’
કેએલ રાહુલે ઓપનિંગને લઇને આપ્યો જવાબ
એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે લાંબા સમય બાદ વિરાટ કોહલીએ સદી ફટકારી. તેમણે અફઘાનિસ્તાન સામે 61 બોલમાં 122 રનની ધમાકેદાર ઈનિંગ રમી. આ તેમની કારકિર્દીની 71મી અને ટી-20 કારકિર્દીની પહેલી સેન્ચ્યુરી હતી. તેમની આ સદી બાદ અફઘાનિસ્તાન સામે કેપ્ટનશિપ કરી રહેલા ઓપનર કેએલ રાહુલે વિરાટને ટી-20 વર્લ્ડ કપમાં ઓપનિંગને લઇને સારો જવાબ આપ્યો છે.
કેએલ રાહુલે આપ્યો જવાબ
વિરાટની શતકીય ઈનિંગ બાદ અફઘાનિસ્તાન સામ ભારતીય ટીમની કમાન સંભાળી રહેલા કેએલ રાહુલે મોટુ નિવેદન આપ્યું છે. કેએલ રાહુલને પત્રકાર પરિષદમાં પૂછવામાં આવ્યું કે શું વિરાટ ટી-20 વર્લ્ડ કપમાં ઓપનિંગ કરશે. જેના પર કેએલ રાહુલે જવાબ આપતા કહ્યું કે તમે શું ઈચ્છો છો કે હું બહાર બેસુ. તેમણે વિરાટના વખાણ કરતા કહ્યું કે વિરાટનુ ફોર્મમાં આવવુ ટીમ માટે બોનસની જેમ છે. વિરાટ 2-3 સીરીઝથી પોતાની રમત પર કામ કરી રહ્યાં છે. તેમની આ મહેનત મેચમાં બધાની સામે આવી. કોહલી આ પ્રકારની 2-3 ઈનિંગ રમે છે તો તેનો પણ કોન્ફિડન્સ વધશે. મને ખુશી છે કે તેઓ ફોર્મમાં પાછા આવી ગયા છે.
Question - "should Virat Kohli continue to open the innings for India?".
લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીએ સદી ફટકારી છે. તેમણે 61 બોલમાં અણનમ 122 રન બનાવ્યાં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1021 દિવસ બાદ તેમણે સદી ફટકારી છે. આની પહેલા કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવેમ્બર 2019માં સદી ફટકારી હતી.