દેશમાં કોરોના વાયરસ સંક્રમણના નવા પ્રકાર, ઓમિક્રોનના કેસ ઝડપથી જોવા જોવા મળી રહ્યા છે.
IRDAIએ તમામ વીમા કંપનીઓને આપ્યો નિર્દેશ
આરોગ્ય વીમા ઓમિક્રોનની સારવારના ખર્ચને પણ કવર કરશે
કોવિડ-19 અંગે IRDAIએ અગાઉ પણ કરી હતી સ્પષ્ટતા
ઓમિક્રોનના વધતાં કેસો વચ્ચે જો તમે પણ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થઈ ગયા છો તો તમારી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની તમને કવર કરશે કે નહીં, તો હવે તમે આ ચિંતામાંથી મુક્ત થઈ જશો. કારણ કે, વીમા નિયમનકાર IRDAIએ કહ્યું છે કે આરોગ્ય વીમા પૉલિસીઓ, જે COVID સારવારના ખર્ચને કવર કરે છે, તે ઓમિક્રોન દ્વારા થતા સંક્રમણની સારવારના ખર્ચને પણ કવર કરશે
IRDAIએ બહાર પાડ્યું એક નિવેદન
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, "તમામ સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓ દ્વારા જારી કરાયેલ તમામ આરોગ્ય વીમા પોલિસીઓ, જે કોવિડ-19ની સારવારના ખર્ચને કવર કરે છે, તે નિયમો અને શરતોને આધીન રહેશે. પોલિસી કરારના નિયમો અને શરતો અનુસાર કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટની સારવારનો ખર્ચ પણ કવર કરે છે." ઓમિક્રોન વેરિઅન્ટના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નિયમનકારે સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓને નિર્દેશ જારી કર્યો છે.
IRDAIએ વીમા કંપનીઓને આપ્યો નિર્દેશ
નિયમનકારે વીમા કંપનીઓને તેમના તમામ નેટવર્ક પ્રદાતાઓ અને હોસ્પિટલો સાથે એક અસરકારક સંકલન મિકેનિઝમ સ્થાપિત કરવા જણાવ્યું છે જેથી તમામ પોલિસીધારકોને હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં સીમલેસ કેશલેસ સુવિધા પૂરી પાડવામાં આવે અને તમામ પોલિસીધારકોને તાત્કાલિક સેવાઓ આપી શકાય.
IRDAIએ અગાઉ પણ કરી હતી સ્પષ્ટતા
એપ્રિલ 2020 માં પણ, IRDAI એ સ્પષ્ટ કર્યું હતું કે તમામ સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતી તમામ નુકસાની આધારિત આરોગ્ય વીમા ઉત્પાદનો, જે હોસ્પિટલમાં દાખલ થવાના સારવારના ખર્ચને કવર કરે છે, તે કોવિડ-19ને કારણે હોસ્પિટલમાં દાખલ કરવાની સારવારના ખર્ચને કવર કરવામાં આવશે.