ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટી 20 મૅચમાં કરો યા મરો જેવી સ્થિતિ સર્જાઇ હતી. ભારતીય ટીમને તે મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ટીમમાં થઇ શકે છે બદલાવ
KL રાહુલને કરવામાં આવી શકે રિપ્લેસ
ભારતીય ટીમ હવે આ મૅચ જીતવા કરશે મહેનત
ઇંગ્લેન્ડ 2-1થી આગળ છે જ્યારે ભારતે હવે આગલી મૅચ જીતવી જ પડશે. જો આ મૅચ તે હારશે તો તેનો મતલબ તે સિરીઝ હારી જશે.
ત્રીજા ટી20ના પ્રદર્શન અને ચોથા ટી 20ના મહત્વના આધારે ટીમ ઇન્ડિયા કેટલાક કડક નિર્ણય લઇ શકે છે. જેમ કે KL રાહુલ 3 મૅચમાં માત્ર 1 જ રન બનાવી શક્યો છે અને તે સારા ફોર્મમાં નથી તો તેને રિપ્લેસ પણ કરી શકે છે. સુર્ય કુમારને બીજી ટી 20માં ડેબ્યુ કરાવ્યા બાદ બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે બની શકે કે રાહુલની જગ્યાએ સુર્યકુમારને મેદાનમાં ઉતારવા આવે.
કઇ ટીમ સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા
એવા ક્યાસ લગાવવામાં આવે છે કે ટીમ ઇન્ડિયા KL રાહુલની જગ્યાએ ઇશાન કિશન પાસે એક વાર ફરી ઓપનિંગ કરાવશે. રોહીત શર્મા અને ઇશાન કિશન ઓપનિંગ કરશે. તે બાદ વિરાટ ત્રીજા નંબર પર રમશે. ઋષભ પંત, શ્રેયસ ઐયરનુ રમવુ લગભગ નક્કી જ છે. સાતમા નંબર પર હર્દિક પંડ્યા બાદમાં વોશિંગ્ટન સુંદર હશે. શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર અને યજુવેન્દ્ર ચહલનું રમવુ પણ નક્કી જ છે.