14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ-કાશ્મીર હાઈવે પર CRPF નાં જવાનોનાં કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 40 જવાન શહીદ થઈ ગયા હતા. જૈશ-એ- મહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
પાકિસ્તાનનાં PMએ પાકિસ્તાનના નવા આર્મી ચીફની નિયુક્તિ કરી
નવા આર્મી ચીફ તરીકે મુનીર જનરલ કમર જાવેદની નિયુક્તિ કરી
નવા આર્મી ચીફનું પુલવામાં હુમલા સાથે કનેક્શન
પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી શહબાજ શરીફે ગુરૂવારે લેફટન્ટ જનરલ અસીમ મુનીરને પાકિસ્તાનનાં નવા આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. મુનીર જનરલ કમર જાવેદ બાજવાના સ્થાને તેઓની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાને ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાનના નવા આર્મી ચીફ અસીમ મુનીરનું પણ વર્ષ 2019 માં પુલવામાં હુમલા સાથે કનેક્શન છે. પુલવામાં હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા.
પુલવામાં હુમલા વખતે ISI ના વડા હતા
જ્યારે પુલવામાં હુ્મલો થયો ત્યારે પાકિસ્તાનના નવા આર્મી ચીફ અસીમ મુનીર પાકિસ્તાનની ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સના ચીફ તીકે સેવા આપી રહ્યા હતા. પુલવામાં હુમલા પાછળ પાકિસ્તાનનાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો. પાકિસ્તાની સેના અને આઈએસઆઈ પર લાંબા સમયથી આતંકવાદી સંગઠનને સમર્થન કરવાનો આરોપ છે. આવી સ્થિતિમાં હવે પાડોશી દેશે નવા આર્મી ચીફ જનરલને પસંદ કર્યા છે. પુલવામાં હુમલા વખતે ISI ના વડા હતા. તેથી સવાલો ઉભા થવા લાગ્યા છે. આ કારણોસર ભારતે પણ પાડોશી દેશમાં બનતી ઘટનાઓ પર નજર રાખીને બેઠા છે.
ઈમરાનખાન સાથે તેમના સબંધો સારા નથી
પૂર્વ આઈએસઆઈ ના પ્રમુખ મુનીરે પુલવામાં હુમલા દરમ્યાન પાકિસ્તાનની પ્રતિક્રિયા અને સુરક્ષા નીતિઓ પર સૂચનો કરવામાં જોડાયેલા હતા. કેટલાક દિવસ દરમ્યાન ચાલેલા ભારત-પાકિસ્તાન વચ્ચેના તનાવ દરમ્યાન મુનીરે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા હતા. આઈએસઆઈ પ્રમુખ તરીકે મુનીરનો ટૂંક સમયનો કાર્યકાળ અચાનક પૂર્ણ થઈ ગયો. કારણ કે ઈમરાનખાન સાથે તેમનાં સબંધો સારા ન હતા.