કોરોનાના નવા સ્ટ્રેઇનને લઈને બ્રિટન અને ભારત વચ્ચે 23 મી ડિસેમ્બરથી ફ્લાઇટ સેવા બંધ કરી દેવામાં આવી હતી જે 31 ડિસેમ્બર 2020 સુધી માન્ય હતી, જેના પછી તે સમયગાળો લંબાવીને 7 જાન્યુઆરી સુધી લંબાયો હતો. જો કે હવે આ પ્રતિબંધ હટાવી લેવાનો સરકારે નિર્ણય કર્યો છે અને માહિતી પ્રમાણે 8 મી જાન્યુઆરીથી સેવા ફરીથી શરૂ થઈ જશે.
બ્રિટન અને ભારત વચ્ચેની ફ્લાઇટ શરૂ થશે
7 મી જાન્યુઆરી સુધી છે પ્રતિબંધ
8 મી જાન્યુઆરીથી સેવા શરૂ થશે
It has been decided that flights between India & UK will resume from 8th January, 2021. Operations till 23 Jan will be restricted to 15 flights per week each for carriers of two countries to & from Delhi, Mumbai, Bengaluru & Hyderabad only: Union Civil Aviation Minister pic.twitter.com/IsBiCFhvg9
બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન શોધાતા સમગ્ર વિશ્વના દેશો ચિંતિત અને સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક અસર રૂપે યુરોપ, અમેરિકા સહિતના ઘણા દેશો એ બ્રિટન સાથેની ફ્લાઇટ સેવાઓ પર તત્પૂરતો પ્રતિબંધ મૂકી દીધો હતો, જેમાં ભારત પણ સામેલ હતું. ભારતે 23 મી ડિસેમ્બરથી 31 સુધી અને પછી 7 જાન્યુઆરી સુધી બ્રિટનની ફ્લાઇટ પર રોક લગાવી દીધી હતી. જો કે હવે માહિતી મળી છે કે સરકારે 8 મી જાન્યુઆરીથી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
શું છે સમસ્યા ?
બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેઇન શોધાયા પછી અન્ય દેશોની ચિંતા વધી ગઈ હતી, માહિતી પ્રમાણે આ નવો કોરોના સ્ટ્રેઇન 70 ટકા જેટલો વધુ ચેપી છે, એટલે કે આ જૂના સ્ટ્રેઇન કરતાં 70 ટકા જેટલું વધુ સંક્રમણ ફેલાવી શકે છે. આ ખતરાને જોઈને અન્ય દેશોની જેમ ભારતે પણ બ્રિટન સાથેની ફ્લાઇટ બંધ કરી દીધી.હતી, જો કે તેમ છતાંય ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેઇનના કેસો આવ્યા હતા જે પહેલા 6 હતા અને પછી વધીને 29 થયા છે. આમ ભારતમાં પણ આ સ્ટ્રેઇનનો ગ્રાફ વધી રહ્યો છે.
મહત્વનું છે કે હાલમાં ભારતમાં કોરોનાના કેસોનો આંકડો સતત ઘટી રહ્યો છે, રસીકરણ શરૂ થવાની તૈયારી છે, અર્થવ્યવસ્થા ફરીથી પાટે ચડી રહી છે અને સામાન્ય જનજીવન પણ થાળે પડતું જાય છે, એવામાં બ્રિટનથી આવનારા નવા સ્ટ્રેઇનનો ખતરો હજુ ઘટ્યો નથી, ત્યાં પણ લોકડાઉન લગાવવાની વૈજ્ઞાનિકોએ માંગણી કરી છે હાલમાં તો નવા સ્ટ્રેઇનના કેસો ઘણા ઓછા છે પરંતુ આ ફ્લાઇટ સેવા ફરીથી શરૂ થઈ જતાં ભારતમાં શું ફરીથી કોરોના સ્પીડ પકડશે તેવી શક્યતા અસ્થાને નથી.