ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓમાં થયેલી ભારે હારના પગલે અને આગામી લોકસભાની ચૂંટણીના પગલે મોદી સરકારે તાજેતરમાં ખેડૂતો નાના વેપારીઓ અને ગરીબોના મત મેળવવા હમણાંથી ઘણી જાહેરાતો કરી છે.
કેન્દ્રના આ પગલાંથી એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને ઝટકો લાગી શકે છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર રાજકોષીય નુકસાનને સફળ ઘરેલૂ ઉત્પાદન (જીડીપી)ને 3.3 ટકાના અવકાશમાં રાખવા માટે પહેલેથી જ સંઘર્ષ કરે છે.
સૌથી મહત્વની વાત છે કે આવા સંજોગો હોવા છતાં મોદી સરકારે મે મહિનામાં યોજાવનાર લોકસભાની ચૂંટણી પહેલાં લોકોને લોભાવનારી જાહેરાતો કરે છે. જાહેર જનતા તરફ ઇશારો કરતાં રવિશંકર પ્રસાદે આ સપ્તાહમાં સંસદમાં જણાવ્યું કે "આ ઘોષણાઓ વિકાસ અને પરિવર્તન માટે છે. તેમણે વધુમાં કહ્યું કે જીત અને હારનો ફેસલો તો જનતાના હાથમાં છે. આશા છે કે જનતા નરેન્દ્ર મોદીના પક્ષને બહુમતથી જીતાડશે.
એક અહેવાલ મુજબ ચૂંટણી પહેલાંના ખર્ચમાં વધારો થવાને કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) નાણાકીય નુકસાનને પહોંચી વળવા માર્ચ સુધીમાં સરકારને 300 અબજ ડૉલર રૂપિયાના અંતર્ગત ડિવિડન્ડ આપી શકે છે. ગયા વર્ષે કૃષિ પ્રધાન રાજ્યો મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢ રાજ્યમાં બીજેપીની હાર પછી કેન્દ્ર સરકારે ખેડૂતોને લોન માફી દરખાસ્ત ઉપરાંત ઘણાં પગલાં લીધા છે.
નાના વેપારીઓને મદદ:
કેન્દ્ર સરકારે 10 જાન્યુઆરીએ રાષ્ટ્રીય વેચાણ વેરાના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી હતી જેમાં 20 લાખ નાના વેપારીઓને ટેક્ષ ભરવામાં મુક્તિ મળશે. સરકારે વાર્ષિક ધોરણે 40 લાખ ટર્નઓવર વાળા વેપારીને જીએસટીમાં છૂટ આપી છે. હાલમાં નાના વેપારીઓ જેઓ રૂ. 20 લાખનું ટર્નઓવર કરે છે તેઓને જીએસટીમાંથી મુક્તિ મળી છે. આ ફેરફાર એપ્રિલથી અમલમાં આવશે.
ખેડૂતોની મદદ:
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી સરકાર ખેડૂતોને રાહત પેકેજ પૂરી પાડવા માટે ત્રણ વિકલ્પો વિચારણા કરી રહી છે. જેનો ખર્ચ ત્રણ લાખ કરોડ રૂપિયા થશે. આ વિકલ્પોમાં જમીનની માલિકી ધરાવતા ખેડૂતોને સીધી ચુકવણીમાં શામેલ થશે. સરકાર દ્વારા નક્કી કરાયેલ ભાવો કરતાં ઓછી કિંમતે પાક વિક્રેતાઓ અને દેવા માફી કાર્યક્રમ કરશે.
નોકરીમાં અનામત:
બુધવારે સંસદમાં ઐતિહાસિક બિલ પસાર કરવામાં આવ્યું જેમાં સવર્ણોને 10 ટકા અનામત મળ્યું. ભાજપ દ્વારા બંધાયેલા બંધારણ સુધારા મુજબ વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી અને પાંચ એકરથી ઓછી જમીન વાળાને અનામત મળશે.
ડુંગળીના ખેડૂતોને મદદ:
ડુંગળીના ભાવમાં ભારે ઘટાડા બાદ કેન્દ્ર સરકારે ડુંગળીના ખેડૂતોને નિકાસના પ્રોત્સાહનમાં વધારો 28 ડિસેમ્બરના રોજ 10 ટકા વધારી દીધો. ખેડૂતો નિકાસ પ્રોત્સાહન કાર્યક્રમથી સરકાર દ્વારા ક્રેડિટ મળે છે જેનો ઉપયોગ વિવિધ પ્રકારના કર માટે ચૂકવણી કરવા માટે થઈ શકે છે.
ઇ-કૉમર્સના નવા નિયમો:
સરકાર 26 ડિસેમ્બરના રોજ એફડીઆઇના નવા નિયમો લઇ આવી. જે અનુસાર એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓ પોતાના હિસ્સાવાળી કંપનીનો માલ પોતાના પ્લેટફોર્મ પર વેચી નહીં શકે. આ નિયમ 1 ફેબ્રૂઆરીથી લાગૂ થશે.
વેચાણ કર પર કપાત:
22 ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકારે 20થી વધુ વસ્તુઓના વેચાણ વેરા પર કપાત મુક્યો છે. જેમાં ટેલિવિઝન બેટરી અને સિનેમા ટિકિટનો સમાવેશ થાય છે.