3 વર્ષથી દયાભાભીની રાહ તારક મહેત....શો જોઇ રહ્યો છે ત્યારે આ એક્ટ્રેસ દયાને રિપ્લેસ કરવા તૈયાર છે.
દયાબેન થઇ જશે રિપ્લેસ ?
રાખીએ બતાવી દયા બનવાની ઇચ્છા
અસિત મોદી આ વાતને લઇને લેશે નિર્ણય?
આ શોમાં જેઠાલાલ, મુનમુન દત્તા, શૈલેશ લોઢા જેવા ઘણા સ્ટાર્સના ફેન્સ બની ગયા છે. દરેક કેરેક્ટરની એક અલગ ઓળખામ છે અને દયાબેન તેમાંનુ ફેવરિટ કેરેક્ટર છે. છેલ્લા 3 વર્ષથી તે દીકરી સાથે સમય વિતાવી રહ્યાં છે અને આપણે તેમને સ્ક્રીન પર જોઇ નથી શકતા પરંતુ હવે આ એક્ટ્રેસ તેને રિપ્લેસ કરી શકે છે.
દિશાએ સપ્ટેમ્બર 2017માં મેટરનીટી બ્રેક લીધો હતો જે બાદ તે શોમાં પાછી આવી નછી. એક વાર એક એપિસોડ માટે તેણે કેમિયો જરૂર કર્યો હતો.
હે..મા..માતાજીથી લઇને ટપુના પપ્પા સુધી ફેન્સ દીશાની દરેક વાતને મિસ કરે છે. શોમાં દિશાના રિપ્લેસમેન્ટને લઇને પણ વાત આવી છે પરંતુ કોઇ પણ દયાબેનના ક્રાઇટેરિયમાં ફીટ થઇ શકતી નથી. હવે એવી ખબર છે કે દયા જો પરત નહી ફરે તો તેને રિપ્લેસ કરી દેવામાં આવશે.
આ એક્ટ્રેસે બતાવી દયા બનવાની ઇચ્છા
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં રાખી વિજાને દયા બહેન બનવાની ઇચ્છા જાહેર કરી હતી, તેણે કહ્યું કે કોઇ પણ દયા બેન ન હોઇ શકે કારણકે કે આઇકોનીક છે પરંતુ લોકોને ચાન્સ આપવો જોઇએ. હું પોતાના ફેન્સને ફરી હસાવવાનો પ્રયત્ન કરી શકુ તેમ છુ. રાખીએ હમ પાંચ સિરીયલમાં સ્વીટી બનીને ફેન્સને ઘણા એન્ટરટેઇન કર્યા હતા.