શહેરમાં આગામી 12 જુલાઈએ અષાઢી બીજના દિવસે 144મી રથયાત્રાને લઈ રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી
પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી
સુરક્ષા વ્યવસ્થાને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ
રથયાત્રા યોજવી કે નહીં તે અંગે નથી લેવાયો નિર્ણય
કોરોના કાળમાં અમદાવાદમાં રથયાત્રા યોજવી કે નહીં તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે રથયાત્રાને લઈને શહેર પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરમાં આગામી 12 જુલાઈએ અષાઢી બીજના દિવસે 144મી રથયાત્રાને લઈ રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં કોરોના કાળમાં રથયાત્રા યોજવી કે નહી તે અંગે હજુ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરતું રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી
રથયાત્રા નીકળશે કે નહીં એ અંગે હજુ સરકાર જાહેરાત કરી નથી, પરંતુ મંદિર ટ્રસ્ટી મંડળ અને શહેર પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોલીસ અને મ્યુનિ. અધિકારીઓએ અગાઉ પણ રથયાત્રાના રૂટ, ભયજનક મકાનો, તૂટેલા રસ્તાની સમીક્ષા કરી હતી. જે બાદ આજે પોલીસના ઉચ્ચા અધિકારીઓની બેઠક મળી હતી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.શહેરમાં સામાન્ય રીતે ભગવાન જગન્નાથની રથયાત્રાના બે મહિલા પહેલા જ શહેર પોલીસે તૈયારીઓ શરૂ કરી દેતી હોય છે ત્યારે આગામી રથયાત્રાને લઈને પણ પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
24 જૂને જળયાત્રા અંગેનો નિર્ણય પણ નથી લેવાયો
મહત્વનું છે કે 24 જૂને જળયાત્રા યોજાનાર છે તે અંગે પણ હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે કોરોના મહામારીમાં રથયાત્રા યોજાશે કે નહી તે પણ સવાલ લોકોને મુજવી રહ્યો છે સરકારના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં કોરોના સ્થિતિની સમીક્ષા બાદ રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે જેને લઈને પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. હાલ તો કોરોનાની સ્થિતિમાં થોડા ઘણા અંશે સુધારો જોવા મળી રહ્યો છે પરતું કોરોનાની ત્રીજી લહેરની શક્યાતાઓ સેવાઈ રહી છે.
કોરોનાની ત્રીજી લહેરની શક્યાતાઓ
આ વર્ષે રથયાત્રા યોજાશે કે નહિ તેને લઈ અંસમંજસ જોવા મળી રહ્યું છે ગયા વર્ષે મહામારીને કારણે રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં યોજાઈ હતી..રથયાત્રા કાઢવા મામલે છેલ્લે સુધી સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ બાદમાં હાઇકોર્ટમાં પણ સુનાવણી હાથ ધરાઈ હતી છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે આ વર્ષે પણ રથયાત્રા નિકળશે કે નહિ એ કહી શકાય નહી તેને લઈને લોકોમાં અસમંજસ જોવા મળી રહ્યું છે.