કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણની આગેવાનીમાં મળેલી સમિક્ષા બેઠકમાં તમામ રાજ્યોને 10 ટકાથી વધારે પોઝિટિવીટી રેટ કરતા જિલ્લાઓમાં ભીડ અટકાવવા તથા કોરોનાના નિયમોનું કડકાઈથી પાલન કરાવવાનો આદેશ આપ્યો.
10 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ પાડવાનું જણાવાયુ
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણ 10 રાજ્યોને લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાગુ પાડવાનું જણાવ્યું હોવાનું જણાવાય છે. 10 રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઓડિશા, આસામ, મિઝોરમ, મેઘાલય, આંધ્રપ્રદેશ, મણીપુર સામેલ છે. આ રાજ્યોને લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાગુ પાડવાનું જણાવાયુ છે.
મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સ્ટેટમેન્ટ અનુસાર, હોમ આઈસોલેશનમાં રહેલા લોકો પર ચાંપતી નજર રાખવી જોઈએ અને જો જરુર પડ્યે તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં ઢીલ ન રાખવી જોઈએ. જ્યાં 10 ટકા કરતા ઓછો પોઝિટીવિટી રેટ હોય તેવા જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો રાજ્યોને આદેશ અપાયો છે.
40,000 જેટલા કેસો આવે તો બાંધછોડ કરવાની જરુર નથી
બેઠકમાં હાજર રહેલા ICMR ના ડિરેક્ટર ડોક્ટર બલરામ ભાગર્વે જણાવ્યું કે દરરોજ 40,000 જેટલા કેસો આવે તો બાંધછોડ કરવાની જરુર નથી. ભારતમાં લગભપગ 46 જિલ્લામાં 10 ટકા કરતા વધારે પોઝિટીવીટી રેટ નોંધાઈ રહ્યો છે અને 53 જિલ્લા એવા છે કે ખતરા તરફ આગળ વધી રહ્યાં છે અહીં પોઝિટીવીટી રેટ 5 થી 10 ટકાની વચ્ચે છે. કોરોનાના નવા કેસોમાં વધારો જોતા મંત્રાલય વતી 4 પોઈન્ટના દિશાનિર્દેશો જારી કરાયા છે.
4 પોઈન્ટના દિશાનિર્દેશો જારી કરાયા
- જ્યાં વધારે કેસો હોય ત્યાં તેને કાબુમાં લેવાનો ઉપાયો કરવામાં આવે
- કોન્ટેક્ટ્ર્સને ટ્રેસિંગ કરવામાં આવે
- ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ વધારવામાં આવે
- મોત પર નજર રાખવી અને તેની ગણતરી કરવી
હોમ આઈસોલેશનમાં રહેલા 80 ટકા કેસો પર નજર રાખવાનો નિર્દેશ
10 રાજ્યોમાં 80 ટકા કરતા પણ વધારે સક્રિય કેસો હોમ આઈસોલેશનમાં છે. આ લોકો પર નજર રાખવા પર ખાસ ધ્યાન આપતા મંત્રાલયે કહ્યું કે આ દર્દીઓની દેખરેખ માટે સમૂદાય, ગામ, મોહલ્લા, વોર્ડ વગેરેના સ્તરે સ્થાનિક દેખરેખ થવી જોઈએ જેથી કરીને ખબર પડી શકે કે શું તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર તો નથીને.