ગયા વર્ષે પણ રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાઈ હતી ત્યારે વર્ષે રથયાત્રા નિકળશે કે નહિ જેને લઈ પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે મહામારીમાંથી મુક્તિ મળે એવી પ્રાર્થના કરીએ
રથયાત્રા મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન
રથયાત્રા મુદ્દે હાલથી કશું કહી ન શકાય
12 જુલાઈએ રથયાત્રા યોજાશે કે નહી
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં અખાત્રીજના દિવસે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવે છે અને પરંપરાગત રીતે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે પરંતુ આ વર્ષે રથયાત્રા યોજાશે કે નહિ તેને લઈ અંસમંજસ જોવા મળી રહ્યું છે રથયાત્રા પહેલા મંદિર પરિસમાં ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવે છે.
ભગવાન જગન્નાથ શ્રદ્વા અને આસ્થાનું કેન્દ્ર છે
અખાત્રીજના દિવસે જમાલપુરમાં ભગવાન જગન્નાથ મંદિરમાં ત્રણેય રથનું વિધિવત રીતે પૂજન કરવામાં આવે છે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી તેમજ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ પૂજા વિધિમાં જોડાયા હતા. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજી આપણા માટે શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. આપણે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે કે, મહામારીમાંથી જલદી મુક્તિ મળે, વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે રથયાત્રા યોજાશે કે નહિ તે કહેવું વહેલું છે.
ગત વર્ષે મંદિર પરિસરમાં યોજાઈ હતી રથયાત્રા
ગયા વર્ષે મહામારીને કારણે રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં યોજાઈ હતી..રથયાત્રા કાઢવા મામલે છેલ્લે સુધી સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી અને હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. આ વર્ષે પણ રથયાત્રા નિકળશે કે નહિ એ કહી શકાય નહી.
રથયાત્રા નિકળશે કે નહી તે કહેવું હાલ વહેલું છે
જમાલપુર ખાતે મર્યાદિત લોકોની હાજરીમાં જ આ ત્રણેય રથની પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી પરંતુ રથયાત્રા કાઢવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. 24 જૂને થનારી જળયાત્રા યોજવા અંગે પણ હજી નિર્ણય લેવાયો નથી. રાજ્ય સરકારે રથયાત્રા અંગે જણાવ્યા પ્રમાણે સમગ્ર સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય રથયાત્રા મામલે નિર્ણય લેવાશે.કોરોના મહામારીને જોતા આ વખતે પણ રથયાત્રા યોજાશે કે નહી તે અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે.