ટીમ ઈન્ડિયાની આ કારમી હાર પછી લોકો ખેલાડીઓ અને સિલેક્ટર્સ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને તેને લઈને ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થશે એવા એંધાણ પણ મળ્યા હતા.
શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયામાં ફેરફાર થવાના છે એ ફાઇનલ
બીસીસીઆઈના અધિકારીએ પુષ્ટિ કરી
આ ખેલાડીનો હતો છેલ્લો વર્લ્ડ કપ
ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર મળી હતી. ગુરુવારે એડિલેડમાં રમાયેલી ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ભારતીય ટીમને 10 વિકેટે હરાવ્યું. ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલમાં પહેલા બેટિંગ કરીને 168 જેટલો સ્કોર બનાવ્યો હતો જેમાં ઇંગ્લેન્ડનાં ધમાકેદાર બેટ્સમેનોએ વગર કોઇ વિકેટના નુક્સાન પર વિજય મેળવ્યો હતો. માત્ર 16 ઓવરમાં જીત હાંસિલ કરી ટીમ ઇંગ્લેન્ડે ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું હતું. હવે આ શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયામાં ફેરફાર થવાના છે એ ફાઇનલ વાત છે અને એવામાં જ હાલ એક સમાચાર સામે આવ્યા છે.
ઈંગ્લેન્ડની એક પણ વિકેટ ન લઈ શકી ટીમ ઈન્ડિયા
સેમિફાઇનલમાં હાર બાદ ભારતની બોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો કોઈ બોલર સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની એક પણ વિકેટ લઈ શક્યો નહોતો.એડિલેડના ઓવલ મેદાન પર રમાયેલી સેમી ફાઈનલ મેચ જોઈને લોકોને એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા જરા પણ લડી નથી અને આ મેચ પછી ઘણા દિગ્ગજોએ ટીમ ઈન્ડિયા પર સવાલો પણ ઉઠાવ્યા છે અને હાલ ઘણા ખેલાડીઓની ટીકા પણ થઈ રહી છે. ટીમ ઈન્ડિયા માટે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ મેચમાં અડધી સદી ફટકારીને થોડી લાજ બચાવી હતી પણ ઈંગ્લેન્ડે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 16 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
બીસીસીઆઈના અધિકારીએ પુષ્ટિ કરી
જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાની આ કારમી હાર પછી દરેક લોકો ખેલાડીઓ અને સિલેક્ટર્સ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે અને તેને લઈને આગામી 24 મહિનામાં ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થશે એવા એંધાણ પણ મળ્યા હતા. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન સહિત બીજા ઘણા સિનિયર ખેલાડીઓને આ ફોર્મેટમાંથી બહાર કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રો આ અહેવાલ આપ્યો હતો અને એ રિપોર્ટ અનુસાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન એ ટી-20 ફોર્મેટમાં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી. જણાવી દઈએ કે આગામી T20 વર્લ્ડ કપને હજુ બે વર્ષ બાકી છે અને સૂત્રોની વાત માનીએ તો હવે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં નવી ટીમ તૈયાર થશે.
અશ્વિનની કારકિર્દી શાનદાર રહી
36 વર્ષના અશ્વિને અત્યાર સુધીમાં 86 ટેસ્ટ, 113 વનડે અને 65 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને તેના નામે ટેસ્ટમાં 442, વનડેમાં 151 અને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 72 વિકેટ છે.