અત્યારે અમેરિકા અને ઈરાનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. અમેરિકાએ ઈરાનનાં સૌથી મોટા સેન્ય અધિકારી કાસિમ સુલેમાનીને ડ્રોન હુમલામાં ઠાર કર્યો છે. આ બાદ અમેરિકાનાં દુતાવાસમાં રોકેટથી હુમલો થયો. બન્ને તરફથી શબ્દ પ્રહાર થઈ રહ્યાં છે. જો આજ સ્થિતિ રહેશે તો પરિસ્થિતી વધારે વણસી શકે છે. ફારસની ખાડી (Persian Gulf)માં યુદ્ધ જેવું વાતાવરણ રહેશે તો ત્યાં હાજર ભારતીઓ પર તેની શું અસર પડશે એ જાણવું જરુરી છે.
શું ફરી ભારતીઓને પહેલાની જેમ સુરક્ષિત બચાવી લેવાશે
દર વર્ષે દેશમાં પુરગ્રસ્તોને બચાવવા એરલિફ્ટ કરવામાં આવે છે
યુદ્ધ સમયે 1.75 લાખ ભારતીયો ફસાઈ ગયાં હતાં
Airlift શું હોય છે?
1990માં ખાડી યુદ્ધ દરમિયાન કુવૈતમાં હાજર ભારતીયોને એરલિફ્ટ કરવામાં આવ્યાં હતાં. શું ફરી ભારતીઓને પહેલાની જેમ સુરક્ષિત બચાવી લેવાશે. Airlift એટલે કે હવાઈ બચાવ, જ્યારે કોઈને ફ્લાઈટનાં માધ્યમથી સમસ્યાવાળી જગ્યાએથી બહાર કાઢવામાં આવે છે તો તેને એરલિફટ કર્યાં કહેવાય છે. આ સમસ્યા યુદ્ધ હોઈ શકે છે અથવા પ્રાકૃતિક સંકટ હોઈ શકે છે. જેમ 1990માં કુવૈતથી ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા હતાં. દર વર્ષે દેશમાં આવનારા પુરમાંથી કેટલાંય અસરગ્રસ્તોને બચાવવા એરલિફ્ટ કરવામાં આવે છે.
1990માં 1.75 લાખ ભારતીયોને એરલિફ્ટ કરવામાં આવ્યાં હતાં
13 ઓગસ્ટ 1990માં કુવૈતથી લગભગ 1.75 લાખ ભારતીયોને એરઈન્ડિયાનાં વિમાનો દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યાં હતાં. તે સમયે ઈરાક અને કુવૈતની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. ઈરાકીઓએ કુવૈતનાં મોટા ભાગ પર આધિપત્ય જમાવી દીધું હતું. ઈરાકનાં શાસક સદ્દામ હુસૈને કુવૈતને પોતાનાં 19માં પ્રાંત તરીકે જાહેર કર્યું હતું. આ યુદ્ધ સમયે 1.75 લાખ ભારતીયો ફસાઈ ગયાં હતાં.
પહેલાં મિલેટ્રી વિમાન મોકલવાનો પ્લાન હતો
1990માં પહેલા ભારત સરકારે મિલેટ્રી વિમાન મોકલી બચાવ કામગીરી કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ એર સ્પેસ ક્લિયરન્સ ન મળવાનાં કારણે નાગરિક વિમાનોને પરવાનગી આપવામાં આવી હતી. આ બાદ ભારત સરકારે એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સનાં વિમાનોને એરલિફ્ટ કરવાની પરવાનગી આપાઈ હતી.
સૌથી મોટી સમસ્યા એ હતી કે ઓપરેશન ડેઝર્ટ સ્ટૉર્મ
અમેરિકાએ પોતાનાં સહયોગી દેશો સાથે મળીને ઈરાકની વિરુદ્ધ ઓપરેશન ડેઝર્ટ સ્ટૉર્મ શરુ કરવાનું હતું. તેમાંથી પોતાના ભારતીયોને બહાર કાઢવા જરુરી હતાં. નહીં તો અમેરિકન હુમલામાં ભારતીય નાગરિકોનાં મરવાની આશંકા હતી. આ માટે ઓપરેશન ડેઝર્ટ સ્ટૉર્મ શરુ થવાનાં થોડાક સમય પહેલા ભારતીયોને બહાર કાઢવામાં આવ્યાં હતાં.
1.75 ભારતીયોને બચાવવા માટે 488 વાર વિમાન ઉડ્યાં
ભારતીયોને સૌથી પહેલાં કુવૈતથી અમ્માન (જૉર્ડન) લાવવામાં આવ્યાં. કેમ કે કુવૈતમાં કોઈ પણ શહેરમાં હિંસાથી મુક્ત નહોતું. તમામનો જીવ જોખમમાં હતો. અમ્માનથી મુંબઈનું અંતર 4, 117 કિમી હતું. 1.75 લાખ ભારતીયોને બચાવવા માટે એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સનાં વિમાનોએ 18 ઓગસ્ટ 1990થી લઈ 20 ઓક્ટોબર 1990ની વચ્ચે કુલ 488 વિમાનો ઉડ્યાં હતાં.
સૌથી મોટા રેસ્ક્યુ ઓપરેશનનો રેકોર્ડ નોંધાયો હતો
કુવૈતમાં ભારતીયોને બહાર કાઢવા માટે લગભગ 63 દિવસો સુધી ચાલેલા આ રેસ્ક્યુ ઓપરેશનને ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. 2016માં બોલીવુડ ફિલ્મ સ્ટાર અક્ષય કુમારની ફિલ્મ એરલિફ્ટ સત્ય ઘટના પર આધારિત હતી.
ખાડીનાં દેશોમાં ક્યાં કેટલાં ભારતીયો?
સાઉદી અરબ - લગભગ 41 લાખ
યુએઈ - લગભગ 35 લાખ
ઓમાન- લગભગ 9.50 લાખ
કુવૈત - લગભગ 07 લાખ
કતાર - લગભગ 6.50 લાખ
બેહરીન -લગભગ 1.50 લાખ
ઈરાન - 800થી 1200 ની વચ્ચે
ઈરાક -અહીં ભારતીયોનો ડેટા પ્રાપ્ત નથી
કુલ મળીને 1 કરોડ ભારતીયો અહીં ફસાયેલાં છે
ઈરાન- યુએસમાં યુદ્ધ થયું તો કેટલા ભારતીયોને અસર પહોંચશે
આ સમયે ફારસની ખાડીની આસપાસ લગભગ 1 કરોડ ભારતીયો રહે છે. ઈરાનમાં વધારે ભારતીયો નથી, પરંતુ ત્યાં પણ આ સંખ્યા લગભગ 800થી 1200ની વચ્ચે છે, પરંતુ યુદ્ધની સ્થિતિમાં ખાડી દેશોથી ઘણા બધા ભારતીયો દેશ વાપસી થઈ શકે છે. અથવા સંક્ટ સમયે તેને એરલિફ્ટ કરી શકાય છે. આ એરલિફ્ટ કાંતો તે જ દેશનાં કોઈ વિમાનો દ્વારા કરાય અથવા ભારતીય વિમાનો તેને લઈને આવે. આ નિર્ણય ભારત સરકાર અને ખાડીનાં દેશોની સરકારે મળીને નક્કી કરવાનો રહેશે.