દિલ્હીથી ભારતમાં કોરોનાની ચોથી લહેર શરુ થઈ શકે છે તેવી નિષ્ણાંતોની ચેતવણી છે.
હોંગકોંગ,ચીન અને યુરોપના દેશોમાં ફરી વધવા લાગ્યા કોરોના કેસ
ભારતમાં પોઝિટિવિટી રેટ ઓછો, 3000ની આસપાસ આવી રહ્યાં છે કેસ
અચાનક કેસ વધવાની સંભાવના નહીંવત-એક્સપર્ટ
ભારતમાં કોરોનાની ચોથી લહેરને લઈને ગ્રહો ઉજળા થયા છે. હોંગકોંગ, ચીન અને યુરોપના કેટલાક દેશોમાં ફરી વાર કોરોના કેસ વધવા લાગતા ભારતમાં પણ ચિંતાની લહેર ફેલાઈ છે. નિષ્ણાંતોની ચેતવણી છે કે ભારતમાં દિલ્હીથી કોરોનાથી ચોથી લહેરની શરુઆત થઈ શકે છે.
શું દેશમાં કોરોનાની ચોથી લહેર આવશે?
શું દેશમાં કોરોનાની ચોથી લહેર આવશે? હોંગકોંગ, ચીનના કેટલાક ભાગો, દક્ષિણ કોરિયા અને કેટલાક યુરોપિયન દેશોમાં ફરીથી ચેપ વધતા દેશના લોકોમાં આ ચિંતા ઉભી થવા લાગી છે. હોંગકોંગમાં કોરોના સંક્રમણને કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં એ સમજવું જરૂરી છે કે દેશના ટોચના ડોકટરો કોરોના પર શું કહી રહ્યા છે. ડોક્ટરોનું સ્પષ્ટ કહેવું છે કે ટૂંક સમયમાં દેશમાં કોવિડ સંક્રમણ વધવાની કોઈ શક્યતા નથી પરંતુ ચોથી લહેરની શક્યતા નકારી ન શકાય અને તે દિલ્હીથી શરુ થઈ શકે છે.
વાયરસ વધારે સમય સુધી ભારતમાં રહેશે
AIIMSના ન્યુરોલોજીના ભૂતપૂર્વ વડા અને રાંચી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના વર્તમાન ડિરેક્ટર ડૉ. કામેશ્વર પ્રસાદે કહ્યું કે લોકોએ હવે આ વાયરસ સાથે જીવતા શીખવું પડશે. પ્રસાદે આશ્વાસન આપ્યું, 'વાયરસ હજુ થોડો સમય ટકી શકે છે. જેના કારણે કેટલીક જગ્યાએ કેસમાં ઉછાળો જોવા મળી શકે છે. પરંતુ રસીકરણ સાથે, આવા ચેપની અસર અને તેની ગંભીર બીમારી થવાની સંભાવના ઓછી હશે. જાન્યુઆરી 2020માં કેરળમાં પહેલો કેસ નોંધાયો ત્યારથી અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના ત્રણ મોટી લહેરનો સામનો કરવો પડ્યો છે. હાલમાં, પોઝિટિવીટી દર 1 ટકાથી ઓછો છે અને દૈનિક કેસ 2500-3000 ની આસપાસ આવી રહ્યા છે.
જરા સરખી લાપરવાહી ભયાનક બની શકે છે-એનકે અરોરા
કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરમેન એનકે અરોરાએ કહ્યું કે અમે 12-14 વર્ષની વયના લોકોનું વેક્સિનેશન શરુ કર્યું છે કારણ કે તેમની પર વધારે જોખમ રહેલું છે. ચીન,હોંગકોંગ,સિંગોપોરમાં કેસો વધી રહ્યાં છે. કોઈ પણ રહેમ કે છૂટછાટ ખતરનાક બની શકે છે જોકે મોટાભાગની પુખ્તવયની વસતીનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે
We've expanded vaccination for 12-14 years old children, because of them being at high risk. Cases are rising in China, Singapore. Any complacency can be dangerous though most of the adult population has been vaccinated: NK Arora, Chairman, Covid working group NTAGI pic.twitter.com/tACl9S2umy
BA 2.2 વેરિઅન્ટ પણ ભારતીય SARS-Co-2 Genomics Consortium (INSACOG) દ્વારા ભારતમાં પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર, પુડુચેરી અને લદ્દાખમાં ત્રણ કેસ મળી આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.
ભારતમાં ચોથી લહેર લાવશે BA 2.2 વેરિયન્ટ
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં ઓમિક્રોનનું પેટા વેરિયન્ટ કોરોનાની ચોથી લહેર લાવશે કારણ કે ત્રણ રાજ્યોમાં આ વેરિયન્ટના કેસ મળ્યાં છે. મહારાષ્ટ્ર, પુડુચેરી અને લદ્દાખમાં ઓમિક્રોનના પેટા વેરિયન્ટના કેસ મળ્યાં છે.
મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે.