રાજ્યમાં 2 લાખ હેક્ટરમાં જીરૂનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. કૃષિ વિભાગ દ્વારા નુકશાની સર્વેનો રિપોર્ટ મંગાવ્યો છે.
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ
કૃષિ વિભાગે જ્યાં માવઠું પડ્યું તે વિસ્તારોમાંથી મંગાવ્યો રિપોર્ટ
વાતાવરણ ચોખ્ખું થાય ત્યારે રિપોર્ટ મોકલવાનો રહેશે
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડતા પર પાટુ જેવો હાલ થવા પામ્યો છે. કમોસમી વરસાદ પડવાથી ખેતરમાં રહેલ શિળાળુ પાકને ભારે નુકશાન પહોંચવા પામ્યું હતું. કરા સાથે કમોસમી વરસાદ પડવાથી જીરૂ સહિતના અનેક પાકોને ભારે નુકશાન પહોંચવા પામ્યું હતું.
કમોસમી વરસાદ પડ્યો
લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે કૃષિ વિભાગ દ્વારા જ્યાં માવઠું પડ્યું તે વિસ્તારોમાંથી નુકશાનીનો રિપોર્ટ મંગાવ્યો છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જગતનો તાત ચિંતીત બન્યો છે. જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા વાતાવરણ ચોખ્ખુ થાય ત્યારે રિપોર્ટ મોકલવાનો રહેશે. રાજ્યમાં 2 લાખ 57 હજાર હેક્ટર વિસ્તારમાં જીરૂનું વાવેતર કરેલ છે. અન્ય પાકોમાં નુકશાનીનો રિપોર્ટ પણ આપવો પડશે.
વહેલી સવારથી જ આકાશમાં ધુમ્મસ
હવામાન વિભાગની મોટી આગાહી
રાજ્યમાં ઠંડીનું સામ્રાજ્ય જામ્યું છે. ઠંડીના કહેરથી શાળાએ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી સવારે વોકિંગ કરવા કે રનિંગ માટે નીકળતા સ્વાસ્થ્યપ્રેમીઓની સંખ્યા ઘટી છે. અંગોને કંપાવતી ઠંડીનો આ રાઉન્ડ લાંબો ચાલતાં લોકો મનોમન અકળાયા છે. હવે ક્યારે આ રાઉન્ડ પૂરો થશે એવી ચર્ચાઓ પણ લોકો આપસમાં કરી રહ્યા છે. આ તરફ હવે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.
કમોસમી વરસાદ/ માવઠાની શક્યતાને લઇ ખેડુતો આટલી કાળજી રાખવી
જીરાનો પાક કમોસમી વારસાદ/ માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે. જીરૂના પાકને આ રોગથી બચાવવા આવા સમયે પિયત અને ખાતર આપવાનુ ટાળવું જોઇએ તથા રોગની રાહ જોયા સિવાય મેન્કોઝેબ 75% વેટેબલ પાવડર 30 ગ્રામ તથા 25 મિલિ તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ 10 લીટર પાણીમાં ભેળવીને છોડ પૂરેપૂરો ભીંજાય એ રીતે છંટકાવ કરવો. વરસાદ પડ્યા બાદ છંટકાવ કરવો અતિ આવશ્યક છે.
બટાટા વાવતા ખેડૂતો આ કાળજી રાખવી
બટાટા વાવતા ખેડૂતોએ પણ આ સમય દરમ્યાન પિયત આપવાનું ટાળી ભલામણ કરેલ દવા ક્લોરોથેલોનીલ 75% વે.પા. 27 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ 5% ઇસી 5 મિલિ 10 લિટર પાણીમાં મિક્ષ કરીને છંટકાવ કરવો. જેથી આગોતરા/ પાછોતરા સુકારાના રોગથી બટાટાના પાકને બચાવી શકાય. કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેડૂત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.