સીમિત ઓવર્સની ફોર્મેટમાંથી ગત કેટલાક સમયથી સતત ખરાબ ફોર્મને કારણે 22 વર્ષના રિષભ પંતની સતત ટીકા થઇ રહી છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી તથા વાઇસ કેપ્ટન રોહિત શર્મા સતત તેનો બચાવ કરી રહ્યા છે
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ કે, ‘’રિષભ પંતની સાથે આ રીતનો વ્યવહાર યોગ્ય નથી જે કારણે તે ગ્રાઉન્ડ પર સતત નર્વસ રહેવા લાગ્યો છે. આ સાથે જ વિરાટે ઘરેલૂ સીરિઝમાં ગ્રાઉન્ડ પર કરેલી ભૂલો પર ધોનીના નામના નારા લગાવવાના પ્રશંસકોના આ પગલાને અપમાન જનક જણાવ્યુ છે. સૌરવ ગાંગુલીએ એક મીડિયા ઇવેન્ટમાં રિષભ પંત માટે આ સારું છે, તેણે આદત પાડી દેવી જોઇએ, તેણે આ સાંભળવા દો અને તેને પહોંચી વળવા માટેની રીત શોધવા દો, તેણે પોતાને આ દબાણમાંથી બહાર નીકળવા માટે રસ્તો શોધવો પડશે.
ગાંગુલીએ ધોનીના ભવિષ્યને લઇને BCCI ની યોજનાને લઇને ખુલાસો કરવાનો ઇન્કાર કર્યો છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એટલે સૌરવ ગાંગુલીએ કહ્યુ કે, ‘’પંતનેે આગામી ધોની બનવા માટે 15 વર્ષ સતત રમવુ પડશે. ધોની જેવો ખેલાડી રોજ જન્મતો નથી. ધોનીએ ભારતીય ક્રિકેટ માટે જેટલું કર્યુ છે તેના માટે BCCI જેટલો આભાર માને તે ઓછો છે. અમે વિરાટ કોહલી તથા સિલેક્ટર્સની સાથે વાત કરી રહ્યા છે સમય આવતા અમે વાત કરીશું.’’
તો બીજી તરફ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આ મુદ્દા પર વાત કરતા કહ્યુ કે , ‘’હું એ વાતની સહમતી દર્શાવવું છું કે સારું ફોર્મ અને વધારે મહેનત ખેલાડીની જવાબદારી છે. મૌકો ગુમાવતા ખેલાડીઓ પર રોષે ભરાવવું યોગ્ય નથી. આ સન્માનજનક નથી, કેમકે કોઇ ખેલાડીઓ ખરાબ ફોર્મ કરવાનું પસંદ નથી કરતા, તેઓ સારું રમી શકે તે માટે તેમણે સપોર્ટ કરવો જરૂરી છે.’’