ઓસ્કર 2022થી બદનામ થપ્પડકાંડ બાદ વિલ સ્મિથ મુંબઈ એરપોર્ટ પર દેખાયા. તેમની સાથે એક ભગવાધારી શખ્સ પણ દેખાયો.
થપ્પડકાંડ બાદ વિલ સ્મિથ મુંબઈ એરપોર્ટ પર દેખાયા
વિલ સ્મિથ ધાર્મિક આયોજન માટે ભારત આવ્યાં
વિલ સ્મિથ ઈસ્કોન ટેમ્પલમાં ત્રણ દિવસ રહ્યાં
વિલ સ્મિથ ભારત ક્યારે આવ્યાં?
જેને જોઈને આ વાતનો અંદાજ લગાવી શકાય છે કે તેઓ કોઈ ધાર્મિક આયોજન માટે અહીં આવ્યાં હતા. વિલ સ્મિથ ભારત ક્યારે પહોંચ્યા અને પછી અહીં કયા શહેરમાં રહ્યાં. આ શહેરમાં કોઈને કાનોકાન ખબર થઇ નથી. મનાઈ રહ્યું છે કે સ્મિથ કદાચ થપ્પડકાંડ બાદ જીવનમાં આવેલા ભૂકંપને શાંત કરવા માટે અહીં ધાર્મિક કામ માટે આવ્યાં છે. વિલ સ્મિથ ભારત આવ્યાં. મહત્વનું છે કે વિલ મહારાષ્ટ્રના વાડામાં શ્રી રાધાબિહારી, ઈસ્કોન ટેમ્પલમાં ત્રણ દિવસ રહ્યાં. એટલું જ નહીં, આખા અઠવાડિયાથી વિલ મુંબઈના જેડબ્લુ મેરિયેટ હોટલમાં રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે વિલ સ્મિથ થપ્પડ કાંડ બાદ પહેલી વખત મીડિયામાં દેખાયા છે.
વિલ સ્મિથ પહેલા પણ ભારત આવી ચૂક્યા છે
મહત્વનું છે કે, વિલ સ્મિથનો ભારત સાથે ખાસ ઘરોબો રહ્યો છે. હરિદ્વાર સાથે પણ તેનુ ખાસ જોડાણ રહ્યું છે. વિલ સ્મિથ આની પહેલા 2018માં ભારત આવ્યાં હતા ત્યારે તેઓ હરિદ્વાર ગયા હતા. આ દરમ્યાન તેમણે ભગવાન શંકરનો રૂદ્રાભિષેક કર્યો હતો. તેમણે ગંગા આરતીનો પણ આનંદ લીધો. વિલે આ દરમ્યાન કહ્યું હતુ કે તેમણે આ સમયને ખૂબ એન્જોય કર્યો હતો. આ યાત્રાને તેમણે ખૂબ અદ્ભૂત અને અલૌકિક જણાવી હતી. વિલ સ્મિથને હિન્દુ ધર્મમાં આસ્થા છે, એવામાં વિલે તે સમયે પોતાનુ ભવિષ્ય જાણવા માટે તેની હસ્તરેખા પણ બતાવી હતી અને જન્મકુંડળી પણ બનાવી હતી. એટલું જ નહીં, હૉલીવુડ સ્ટાર વિલ સ્મિથે ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદગુરૂ જગ્ગી વાસુદેવ સાથે પણ મુલાકાત કરી હતી. તે વખતની મુલાકાતની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ હતી.