જમ્મુ-કાશ્મીરનાં વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે પણ પાર્ટી સામે મોરચો માંડ્યો છે. આઝાદ અત્યારે એક પછી એક રેલીઓ કરી કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનો પણ આપી રહ્યા છે
ગુલામનબી ક્યારે કોંગ્રેસથી આઝાદ ?
રેલીઓમાં સતત કોંગ્રેસ વિરોધી ભાષણ
જમ્મુ-કાશ્મીરમાં પોતાની પાર્ટી બનાવે તેવી શક્યતા
દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસમાં આ દિવસોમાં સઘળું સમુસૂતરું નથી ચાલતું.લોકસભાની બે ચૂંટણીમાં સતત કારમી હાર પછી પાર્ટીનો આત્મ વિશ્વાસ આમ પણ પટકાયેલો છે,અને હવે મમતા બેનરજીની TMC કોંગ્રેસ તોડવામાં લાગી ગઈ છે.પરંતુ,આ વચ્ચે કોન્ગ્રેસના જ કેટલાક નેતાઓએ પાર્ટીના 'નાકમાં દમ' કરી દીધો છે. પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહની બગાવત પછી હવે એવું લાગવા માંડી રહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરનાં વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે પણ પાર્ટી સામે મોરચો માંડ્યો છે. આઝાદ અત્યારે જમ્મુ-કાશ્મીરમાં એક પચ્ચી એક રેલીઓ કરી રહ્યા છે.અને આ રેલીઓમાં તેઓ કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનો પણ આપી રહ્યા છે.રાજનીતિની આબોહવામાં એવી પણ ચર્ચા છે કે, ગુલામનબી આઝાદ પોતાની પાર્ટી શરુ કરી શકે છે.
G-23ના સદસ્ય ગુલામનબી આઝાદ
ગુલામનબી આઝાદ કોંગ્રેસ નાં એ 23 અસંતુષ્ઠ નેતાઓમાના એક છે જેઓએ ગત વર્ષે પાર્ટીમાં મોટા બદલાવની માંગ કરતા સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. બુધ્વાત્રે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક રેલીને સંબોધતા આઝાદે કહ્યું હતું કે,કોંગ્રેસ 2024 નાં લોકસભા ચૂંટણીમાં 300 બેઠકો સાથે સતામાં આવતી નજરે નથી પડી રહી. આઝાદે એમ પણ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ને ફક્ત સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર જ ફરીથી લાગૂ કરી શકે છે.તેમણે કહ્યું કે અત્યારે તેઓની એક માત્ર માગણી રાજ્યને આગળ ધપાવવા અને વિધાનસભા ચૂંટણી કરાવવાની માંગ છે.તેના આ નિવેદન ને U ટનની રીતે જોવાઈ રહ્યું છે.હકિકતમાં આઝાદે આ અગાઉ ગૃહમાં કલમ 370ને લઈને કેન્દ્ર સરકાર પર બરાબર નિશાન સાધ્યું હતું.
આઝાદના નજદીકી નેતાઓના સતત રાજીનામાં
જમ્મુ-કાશ્મીરની રાજનીતિક તસવીર ઝડપથી બદલાઈ રહી છે.ગુલામનબી આઝાદના નજીકના મનાતા 20 જેટલા નેતાઓએ છેલ્લા બે અઠવાડિયામાં પાર્ટીના અલગ-અલગ હોદ્દાઓ પરથી રાજીનામાં ધરી દીધા છે.પોતાના રાજીનામાંમાં નેતાઓએ ગુલામ અહેમદ મીરને રાજ્યની ટીમના પ્રામુખ પદેથી હટાવવા સહિત કોંગ્રેસ માં વ્યાપક બદલાવની માંગ કરી છે આ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે તેઓને પ્રદેશ કોન્ગ્રેસના નેતૃત્વમાં 'દુશ્મનાવટપૂર્ણ વ્યવહારના કારણે આ પગલું ઉઠાવવું પડ્યું છે.
જમ્મુ-કાશ્મીરના કેટલાય નેતાઓ નારાજ
જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસ ઉપાધ્યક્ષ જી.એન મોંગા એ જણાવ્યું કે 'અમોએ પાર્ટીના હાઈ કમાન્ડને રજૂઆત કરી છે કી પાર્ટીની અંદર કેટલીક સમસ્યાઓ છે.જેથી તેને દૂર કરવામાં આવે.જ્યાં સુધી આઝાદ સાહેબનો સવાલ છે તેઓ લાંબા સમયથી અમારા નેતા છે . મોંગાએ ચિઠ્ઠીમાં જમ્મુ-કશામીરના કોંગ્રેસ પ્રમુખને હટાવવા માટે પણ કહ્યું છે
બળવા પર ઉતર્યા ગુલામનબી
ગુલામનબી આઝાદની જનસભાઓમાં ભારે ભીડથી રાજનીતિક પંડિતો આશ્ચર્યમાં પડી ગયા છે તો તેમની રેલીઓમાં કોંગ્રેસ વિરોધી નિવેદનોએ કોંગ્રેસને હચમચાવી દીધી છે.આઝાદ લગભગ ચાર દાયકાથી રાજ્યસભા સાંસદ છે અનીત્મ વાર તેમને જમ્મુની ઉધમપૂરબેઠક પરથી ચૂંટણી લડી હતી. જો કે ભાજપના ઉમેદવાર સામે તેઓ ચૂંટણી હારી ગયા ગયા હતા, સુત્રોના કહેવા પ્રમાણે જમ્મુ-કશામીરમાં જો આઝાદ પોતાની પાર્ટી બનાવે તો મોટાભાગના નેતાઓ તેમની સાથે જાય. અહેવાલોમાં કહેવાય છે કે, અન્ય પાર્ટીના નેતાઓ પણ તેમની સાથે સંપર્કમાં છે.