જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ધારા-370માં કરાયેલા ફેરફાર બાદ જમ્મૂ-કાશ્મીરમાં હિંસાને લઇને આપેલા નિવેદનને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. સત્યપાલ મલિકે કહ્યું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને ઘાટીની મુલાકાત કરાવા તેમજ પરિસ્થિતિની સમીક્ષા લેવા માટે વિશેષ વિમાન મોકલીશ.
રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે જમ્મૂ-કાશ્મીરમાં ધારા 370 હટાવવામાં કોઇ સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરમાં હિંસાના સમાચાર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સમક્ષ સત્ય જણાવવું જોઇએ કે હાલમાં કાશ્મીરમાં શું પરિસ્થિતિ છે.
જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલે કહ્યું કે મે રાહુલ ગાંધીને અહી આવવા આમંત્રણ આપ્યું છે. મે તેમને જણાવ્યું છે કે હું તમારા માટા વિમાન મોકલીશ જેથી તમે ઘાટની સમીક્ષા કરી શકશો. આપ એક જવાબદાર વ્યક્તિ છો આવી વાત ન કરી શકો. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ સત્યપાલ મલિક કાશ્મીરમાં હિંસા સંબંધી કેટલાંક નેતાઓએ આપેલા નિવેદન અંગે પૂછાયેલા સવાલમાં જવાબ આપી રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે જણાવ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરમાંથી હિંસાના સમાચાર આવી રહ્યાં છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સમક્ષ જમ્મૂ-કાશ્મીરની સ્થિતિ અંગે દેશવાસીઓને માહિતગાર કરવા જોઇએ.
370 હટાવવા પાછળ સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ નથી
જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે જમ્મૂ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવવા પાછળ કોઇ સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ નથી. ધારા-370 હટાવ્યાં બાદ જમ્મૂ-કાશ્મીરમાં હાલ શાંતિ છે.
વિદેશી મીડિયાને પણ આપી ચેતવણી
રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું કે કેટલાંક લોકો જમ્મૂ-કાશ્મીરને લઇને ખોટી વાત કરી રહ્યાં છે. રાજ્યપાલે કહ્યું કે વિદેશી મીડિયાએ પણ કેટલું ખોટું રિપોર્ટિંગ કરવાનો પ્રયત્ન કર્યો છે. બધી હોસ્પિટલ રાબેતામુજબ ચાલી રહી છે, કોઇ એક વ્યક્તિને ગોળી વાગી હોય તે સાબિત કરી બતાવો. જ્યારે કેટલાંક યુવકો હિંસા કરી રહ્યાં હતા ત્યારે ચાર લોકોને પેલેટથી પગમાં ગોળી મારવામાં આવી હતી જેમાં કોઇ ગંભીર રીતે ઘાયલ થયું નથી.