આ વાત જાણીને તમને હેરાની થશે કે ધરતીને બચાવવા માટે પરમાણું બોમ્બ વિસ્ફોટ કરવાની જરૂર પડી શકે છે? કેટલાક વૈજ્ઞાનિકોએ આ વાતનો દાવો કર્યો છે.
વૈજ્ઞાનિકોએ કર્યો ભયંકર દાવો
ધરતીને બચાવવા પરમાણુ બોમ્બનો ઉપયોગ
ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો આ એક જ રસ્તો
વૈજ્ઞાનિકોનો દાવો
વિજ્ઞાન સાબિત કરી ચૂક્યું છે કે 6.6 કરોડ વર્ષ પહેલા આ ધરતી એક મોટા એસ્ટેરોઇડ સાથે ટકરાઇ હતી. જેમાં ડાયનોસોર જેવા મોટા જીવનું અસ્તિત્વ પૂર્ણ થઇ ગયું હતુ. તે બાદથી આજ સુધી આ પ્રકારની કોઇ ઘટના બની નથી.
ભવિષ્ય સુરક્ષિત છે?
મોટી ઘટના ન ઘટી હોવાથી તે માની લેવું ન જોઇએ કે આપણું ભવિષ્ય સુરક્ષિત છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ધરતી સાથે એસ્ટેરોઇડ ટકરાશે તો ભવિષ્યમાં મોટા મોટા જોખમ આવી શકે છે. વૈજ્ઞાનિક પેટ્રીક કિંગે લોકોને ચેતવ્યા છે.
ધરતી સાથે કેમ ટકરાય છે એસ્ટેરોઇડ
પોતાના એક દાવમાં પેટ્રિક કહે છે કે જ્યારે પણ એસ્ટેરોઇડ ધરતી સાથે ટકરાય ત્યારે આપણે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવો જોઇએ. માનવતાને બચાવવા માટે આપણી પાસે માત્ર એક જ રસ્તો છે જે છે પરમાણું
છેલ્લો વિકલ્પ પરમાણુ બોમ્બ
આ શોધ એક્ટ એસ્ટ્રોનોટિકા જર્નલમાં પ્રકાશિત પણ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પરમાણુ બોમ્બ જ છેલ્લો વિકલ્પ છે. કારણકે એસ્ટેરોઇડને રોકવા માટે પરમાણુનો ઉપયોગ કરવો થોડો મુશ્કેલ પણ છે.