રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઈ ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી 20 દિવસ શાળા બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
સ્કૂલમાં કોરોના ટેસ્ટિંગનું આયોજન નહીં
અમદાવાદ DEOનો દાવો
એકપણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ નહીં: DEO
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ગુજરાત વાલી મંડળ પણ હરકતમાં આવી ગયું છે. ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી 20 દિવસ શાળા બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
વાલીઓ દ્વારા શિક્ષણ મંત્રીને કરી રજૂઆત
આ સાથે વાલી મંડળે શાળા બંધ રાખી માત્ર ફાઈનલ પરીક્ષા લેવા માટે માગ કરી હતી. અને ગ્રેસીંગ માર્કસ આપીને વિદ્યાર્થીઓને પાસ કરવા માટે વાલી મંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. આ સાથે સુરતમાં 192 વિદ્યાર્થીઓ તથા અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું ગુજરાત વાલી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ અમદાવાદની સ્કૂલોમાં કોરોના ટેસ્ટિંગનું કોઇ આયોજન કરવામાં આવ્યું નથી. અત્યાર સુધી એકપણ સ્કૂલમાં કોરોના ટેસ્ટ કરાયો નથી. જોકે અમદાવાદ DEOએ દાવો કર્યો છે કે, એકપણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ નથી. ટેસ્ટિંગ વિના DEOના દાવાને લઇ સવાલો ઉભા થઇ રહ્યાં છે. શહેરમાં મોટા પ્રમાણમાં કેસ તો સ્કૂલમાં ટેસ્ટિંગ કેમ નહીં?. ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિયેશને ટેસ્ટિંગ માટે માંગ કરી છે.
સમગ્ર રાજ્યમાં કોરોના કેસમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. તેને લઈ 4 મહાનગરોમાં શાળા પરીક્ષા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. પરીક્ષા બાબતે મુખ્ય સચિવ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે. જેમાં શિક્ષણમંત્રી તથા વિભાગના અધિકારીઓ ચર્ચા કરશે. મહાનગરોમાં કોરોના સંક્રમણ વધતા પરીક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરી શકે છે. આગામી સમયમાં પરીક્ષા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે.