મિત્રો આજે આપણે મહામંથન કરવું છે એવા વિષય પર. જેના પર તમે અને હું નિર્ભર છીએ. જેના વગર જીવન શક્ય નથી. જેના વગર આવનારી પેઢીનો વિનાશ સર્જાઈ શકે છે. એ છે તો આપણે છીએ. અને એ નથી તો. આ પૃથ્વીનો સર્વનાશ છે. હા વાત છે પાણીની. જે આજના સમયમાં બની ગયો છે પેચીદો પ્રશ્ન અને જાણવીનો સૌથી મોટો મુદ્દો. રાજ્યના 470 જેટલા ગામડાઓમાં આજે ટેન્કર રાજ ચાલે છે. જેમા માત્ર 336 ટેન્કરોથી પાણી પહોંચાડાઈ રહ્યુ છે. તો રાજ્યના કુલ 71 ડેમમાંથી મોટાભાગના ડેમના તળિયા ખાલીખમ છે. તો કેટલાક ડેમમાં પાણીનો સંગ્રહ પણ શક્ય નથી. રાજ્યના 55 જેટલા ડેમમાં માત્ર 0થી 25 ટકા પાણી બચ્યુ છે. તો 50થી 75 ટકા જેટલું માત્ર 3 ડેમમાં પાણી બચ્યુ છે. તો 100 ટકાથી વધુ પાણી હોય તેવો એકપણ ડેમ નથી. ત્યારે આવનારી પેઢી કેવી રીતે પોતાનું જીવન ગુજારશે.. શું સરકારે અને તંત્રએ એવી કોઈ વ્યવસ્થા વિકસાવવી ના જોઈએ . જેનાથી આગામી પેઢી પાણી માટે વલખાં ના મારે. શું પાણી રિસ્ટોર કરવા માટે કોઈ વ્યવસ્થા ના હોવી જોઈએ. શું ડેમની સ્થિતિ સુધારવાની જરૂર નથી. કેમ કુવાના અને ડેમના તળ ઉંચા નથી આવતા. કેમ ડેમના સ્ટોરેજમાં હંમેશા ઘટાડો જોવા મળે છે. શું પાણી જાળવીને વાપરવું ન જોઈએ. સરકારે કોઈ વ્યવસ્થા ના કરવી જોઈએ. આ સહિતના મુદ્દાઓ પર કરીશું આજનું મહામંથન મારી સાથે