ભાજપ અધ્યક્ષ અમિત શાહે મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો છે કે એ કાશ્મીરને દેશથી અલગ કરવાની ઇચ્છા રાખવાની સાથે આપી રહી છે. એમને દાવો કર્યો છે કે જો બંગાળ અમને 30 સીટ આપે , તો અમે કેન્દ્રમાં ભાજપની આગળની સરકાર બનતા જ કાશ્મીરમાંથી 370 ખતમ કરી દઈશું.
ભાજપના અધ્યક્ષ અમિત શાહે બંગાળને એક ઓફર છે. અમિત શાહે એવી ઓફર આપી કે બંગાળ અમને ત્રીસ સીટ આપે તો અમે સત્તામાં આવતા કશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કરી નાખીશું. તો મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરતા તેમને દેશને વહેંચવાના પ્રયાસ કરી રહેલા લોકોને સાથ આપવાનો પણ આરોપ લગાવ્યો.
અમિત શાહે કહ્યું કે, ભાજપ જો બીજી વાર સત્તામાં આવશે તો જમ્મૂ કશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતો આર્ટિકલ 370 ખતમ કરી દઈશું. અમિત શાહે એવો પણ દાવો કર્યો કે બંગાળ અમને 30 સીટ આપે અને અમે કેન્દ્રમાં અમારી સરકાર બનાતા જ કશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કરી નાખીશું.
શાહે મમતા બેનર્જી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા પર ટિપ્પણી કરતા કહ્યું કે, ઉમર અબ્દુલ્લા કશ્મીર માટે અલગ પ્રધાનમંત્રીની વાત કરે છે તો તેના પર તેઓ પોતાનું વલણ સ્પષ્ટ કરે.
મમતા દીદી તેઓનો સાથ આપી રહી છે કે જેઓ ભારતને વહેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે જાણવા માગીએ છીએ કે દેશમાં બે પ્રધાનમંત્રીની ઉમર અબ્દુલ્લાની માગ પર તેમનું કેવું વલણ છે.