વિજળીના બિલને ઓછુ કરવા માટે આપણે શું-શું નથી કરતા. પરંતુ તેમ છતાં બિલ વધુ આવે છે.
સ્પીડ ધીમી થવાથી ઓછું આવશે બિલ?
શું સ્પીડ કરે છે બિલ પર અસર?
જાણો શું છે સચ્ચાઈ?
વિજળીનું બિલ જ્યારે પણ આવે છે તેને જોઈને આપણને એક વખત આધાત જરૂર લાગે છે. પરંતુ વિજળી એવી જરૂરી વસ્તુ છે જેના પર ઈચ્છવા છતા કરકસર નથી કરી શકાતી. જ્યારે થોડો આરામ પણ કરવા જાઓ તો વગર પંખે ઉંઘ નથી આવતી. એવામાં વિજળીની બચત પંખાથી જ શરૂ કરવી જોઈએ. અમુક લોકોનું માનવું છે કે પંખાની સ્પીડ આપણા બિલ પર અસર કરે છે. તો આવો આજે અમે આ સવાલનો જવાબ જણાવવીએ.
શું સ્પીડ કરે છે બિલ પર અસર?
આપણા દરેકના ઘરોમાં સીલિંગની સાથે ટેબલ અને પેડેસ્ટલ ફેન્સ પણ હોય છે. સીલિંગ ફેન્સની સ્પીડ લેગ્યુલેટરથી કંટ્રોલ કરી શકાય છે. ત્યાં જ ટેબલ અને પેડેસ્ટલ ફેન્સમાં ઈનબિલ્ટ સ્પીડ કંટ્રોલર હોય છે. ત્યાં જ સવાલ એ થાય છે કે જો તમે સ્પીડ ઓછી કરો છો તો શું આ પંખો ઓછી વિજળી ખપત કરે છે અથવા સ્પીડ વધારવા પર તે વધારે વિજળી ખપત કરે છે?
ઈલેક્ટ્રિક રેગ્યુલેટરથી થશે વિજળીની બચત?
તમે કદાચ ધ્યાન આપ્યું હોય તો અમુક વર્ષ પહેલા સુધી આપણા ઘરોમાં ઈલેક્ટ્રિક રેગ્યુલેટર હતા. જેની જગ્યા પર હવે ઈલેક્ટ્રોનિક રેગ્યુલેટરોએ લઈ લીધી છે. પહેલા જે ઈલેક્ટ્રિક રેગ્યુલેટરનો ઉપયોગ થતો હતો તે સસ્તા પણ હતા. એવા રેગ્યુલેટર એક પ્રતિરોધકનું કામ કરતા હતા. આ રેગ્યુલેટર પંખાને સપ્લાય કરવામાં આવતા વોલ્ટેજને ઘટાડીને તેની સ્પીડ ઓછી કરી દેતા હતા. આ પ્રકારે પંખામાં તો વિજળીની ખપત ઓછી થતી હતી પરંતુ રેગ્યુલેટર જે એક પ્રતિરોધકની રીતે કામ કરતું હતું તેમાં તેટલી જ વિજળી જતી હતી. આ પ્રકારે જુના રેગ્યુલેટરની સાતે પંખાની સ્પીડ ઓછી કરવા પર વિજળીની બચત પર કોઈ ખાસ અસર ન હતો પડતો.
ઈલેક્ટ્રોનિક રેગ્યુલેટર છે અસરકારક
આજકાલ ઘરોમાં ઈલેક્ટ્રોનિક રેગ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ રેગ્યુલેટરોનું રિઝલ્ટ ખૂબ જ સારૂ છે. જો તમારા ઘરમાં પણ ઈલેક્ટ્રોનિક રેગ્યુલેટર છે તો નિશ્ચિત રીતે તમારા વિજળી બિલ પર તેની અસર પડશે. ઈલેક્ટ્રોનિક રેગ્યુલેટરનો ઉપયોગ કરીને તમે પોતાના પંખાની ટોપ સ્પીડ અને તેની સૌથી ઓછી સ્પીડની વચ્ચે 30-40 ટકા સુધીનો ફરક જોઈ શકશો. એટલે કે ઈલેક્ટ્રોનિક રેગ્યુલેટર વાળા પંખાની સ્પીડ ઓછી અથવા વધારેના હિસાબથી વિજળીની ખપત કરે છે.
પંખાની સ્પિડથી નક્કી થાય છે વિજળીની ખપત
નવા ઈલેક્ટ્રોનિક રેગ્યુલેટરમાં ઈલેક્ટ્રિસિટીની ખપતનું પેટર્ન પંખાની સ્પીડથી નક્કી થાય છે. તમે જેટલી સ્પીડથી પંખો ચલાવશો તે તેટલુજ વધારે વિજળીની ખપત કરશે. આ પ્રકારે પંખો જો ઓછી સ્પીડ પર ચાલશે તો વિજળીની ખપત ઓછી થશે.