રથયાત્રાના સંદર્ભમાં સેન્ટ્રલ IB એ એક રિપોર્ટ તૈયાર કર્યો છે સેન્ટ્રલ IB ના આ રિપોર્ટમાં રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાનું આયોજન આ વખતે રદ કરવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો છે.
રથયાત્રાના સંદર્ભમાં સેન્ટ્રલ IBએ તૈયાર કર્યો રિપોર્ટ
IBના રિપોર્ટમાં માત્ર મંદિર પરિસરમાં યાત્રા યોજવાનો ઉલ્લેખ
રથયાત્રાને લઈ 24 જૂન બાદ રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે છે
ગુજરાતમાં કોરોનાવાયરસની બીજી લહેર નરમ પડતા હવે મોટા ભાગના વેપાર, ધંધા અને ઓફિસો શરૂ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે અમદાવાદીઓનાં મનમાં એક જ સવાલ છે કે આ વખતે રથયાત્રા નીકળે કે કેમ ?
રથયાત્રાના સંદર્ભમાં સેન્ટ્રલ IB નો રિપોર્ટ
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, રથયાત્રાના સંદર્ભમાં સેન્ટ્રલ IB એ એક રિપોર્ટ તૈયાર કર્યો છે સેન્ટ્રલ IB ના આ રિપોર્ટમાં રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાનું આયોજન આ વખતે રદ કરવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો છે. BI રિપોર્ટના મતે રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજવાનું જણાવવામાં આવ્યું છે.
સંભવિત ત્રીજી લહેરના કારણે રથયાત્રા ન યોજવાની રિપોર્ટમાં તાકીદ
મહત્વનું છે કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરના કારણે રથયાત્રા ન યોજવાની સેન્ટ્રલ IBએ તાકીદ કરી છે. સેન્ટ્રલ IB એ તૈયાર કરેલા આ રિપોર્ટને આધારે રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે છે IB એ પોતાના રિપોર્ટમાં IMAના તારણોનો હવાલો પણ આપ્યો છે. અને કહ્યું છે કે જ્યાં સુધી 100 ટકા વેક્સિનેશન ન થાય ત્યાં સુધી ધાર્મિક જમાવડાઓ યોજવા યોગ્ય નથી. એવો દાવો સેન્ટ્રલ IB ના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર અંગે 24મી જૂન બાદ જાહેરાત કરી શકે
ગયા વર્ષે પણ રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજવામાં આવી હતી ત્યારે આ વર્ષે રથયાત્રા યોજાશે કે નહીં તેને લઈને અસમંજસ જોવા મળી રહ્યું છે ત્યારે રથયાત્રાને લઈને IBએ રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર અને રાજ્ય સરકારને સોંપ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ સહિત તમામ રથયાત્રાનું આયોજન રદ કરવામાં આવે. ત્યારે આ રિપોર્ટનાં આધારે રાજ્ય સરકાર રથયાત્રાને કઇ રીતે યોજવી છે તે અંગે 24મી જૂન બાદ જાહેરાત કરી શકે છે
મંદિર પરિસરમાં યોજાઈ શકે છે રથયાત્રા
રાજ્યમાં રથયાત્રા સહિત આવનારા તહેવારો અંગે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રથયાત્રાના પરંપરાગત રૂટ પર કર્ફ્યૂ રાખીને પણ જો રથયાત્રા યોજવામાં આવે તો પણ લોકો ભેગા થઇ શકે છે. જેના કારણે સંજોગો બગડી શકે છે. જેથી મંદિરમાં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જ પ્રદક્ષિણા કરાવવામાં આવે. જ્યારે ગુજરાતના સ્ટેટ આઇબીએ પણ રથયાત્રા ન યોજવા માટેનો પ્રાથમિક અહેવાલ આપ્યો હતો.
કોરોનાની બીજી લહેરમાં લોકો બેદરકાર બન્યા
તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે, બીજી લહેર બાદ આપવામાં આવેલી છૂટછાટને કારણે ફરીથી લોકો બેદરકાર બની ગયા છે અને કોવિડ 19ના નિયમોનું છડે ચોક ઉલ્લંઘન થઇ રહ્યું છે. જેમાં ઘાર્મિક સ્થળોમાં વધારે ભીડભાડ જોવા મળે છે. તો ગુજરાતમાં લગ્ન, જન્મદિવસની પાર્ટી અને સાથે વિવિધ પાર્ટીઓમાં નિયત મર્યાદા કરતા પણ વધારે લોકો ભેગા થઇ રહ્યાં છે. અગાઉ પણ રથયાત્રાને લઈને થઈ ચુકી છે ચર્ચાઓ
થોડા દિવસ પહેલા મંદિરમાં રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસજી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં રથયાત્રાને લઈને મહત્વની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વ નીકળતી હોય છે ત્યારે તેને લઈને મંદિરના મહંત દિલીપદાસજી જણાવ્યું હતું કે, બધાની લાગણી છે કે, રથયાત્રા નીકળે ત્યારે આગામી સમયમાં ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ છીએ કે કોરોના સંક્રમણ ઘટે અને લોકોના સ્વાસ્થ્ય હમેશા સ્વસ્થ્ય રહે.
ગયા વર્ષે પણ મંદિર પરિસરમાં જ યોજાઈ હતી રથયાત્રા
નોંધનીય છે કે, તંત્ર દ્વારા આ વર્ષે રથયાત્રા ટ્રક, અખાડા, ભજન મંડળીઓ, ભક્તો વગર માત્ર ત્રણ રથ સાથે જ કાઢવાની દિશામાં તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે પણ માત્ર ત્રણ રથ સાથે રથયાત્રા કાઢવાની પ્રપોઝલ સરકારે મંદિર ટ્રસ્ટી મંડળ સમક્ષ મૂકી હતી, પરંતુ તે પ્રમાણે રથયાત્રા કાઢી શકાઈ ન હતી અને મંદિર પરિસરમાં જ ત્રણેય રથની પરિક્રમા કરાવવામાં આવી હતી.
સામાન્ય નાગરિકો રથયાત્રામાં નહિ જોડાઈ શકે
રથયાત્રા પૂર્વેની તમામ વિધિ માટે આયોજનો થવા લાગ્યા છે. ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાની જળયાત્રાના આયોજનને લઈને મિટિંગ યોજાઈ હતી. જેમાં જળયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો હતો. સાથે જ મિટંગના અંતે નક્કી કરાયુ કે, જળયાત્રામાં શક્યો હોય તો ગજરાજને પણ હાજર રાખવામાં નહિ આવે. જો જરૂર હશે તો, માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે. જળયાત્રામાં 50થી ઓછા લોકોની હાજરી રહેશે. જેઓ મંદિરના જ સભ્યો હશે. સામાન્ય નાગરિકો રથયાત્રામાં નહિ જોડાઈ શકે.