હાલ એવી અટકળો ચાલી રહી છે કે, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના નવા કોચ બની શકે છે. BCCI એ નવા કોચ માટે અરજીઓ માંગી છે.
રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના નવા કોચ બની શકે છે.
દ્રવિડે પોતાના નિર્ણય જણાવવા માટે થોડા સમય માંગ્યો છે
ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા ફેરફારના સંકેત છે
રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના નવા કોચ બની શકે છે.
ટી-20 વર્લ્ડ કપ પછી રવિ શાસ્ત્રી હવે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રહેશે નહીં, કહેવામાં આવી રહ્યું છે કે, ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના નવા કોચ બની શકે છે. જો કે, BCCI દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરત કરવામાં આવી નથી. દરમિયાન BCCI ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ દ્રવિડને નવા કોચ બનાવા વિશે ઘણું કહ્યું છે. તેમણે કહ્યું છે કે, દુબઈમાં કોચિંગની જવાબદારી અંગે દ્રવિડ સાથે વાતચીત થઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી એક મીડિયા રિપોર્ટ અનુસાર સૌરવ ગાંગુલીએ કહ્યું, 'દ્રવિડ ટીમના નવા હેડ કોચ હશે કે કેમ તે અંગે હાલ કોઈ પુષ્ટિ નથી. મેં અખબારોમાં પણ વાંચ્યું છે કે તે કોચ બની શકે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે અમે નવા કોચ માટે જાહેરાત કરી છે. જો તેઓ અરજી કરવા માંગતા હોય તો તેઓ કરી શકે છે.
સૌરવ ગાંગુલી રાહુલ દ્રવિડને કેમ મળ્યા?
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં એવા સમાચાર આવ્યાં હતાં કે, સૌરવ ગાંગુલી અને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે રાહુલ દ્રવિડને નવા હેડ કોચ બનાવવા માટે મનાવી લીધા છે. તેમજ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ટી-20 વર્લ્ડ કપ બાજ દ્રવિડ ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ હશે. ગાંગુલીએ કહ્યું કે દ્રવિડે તેમની સાથે દુબઈમાં નેશનલ ક્રિકેટ એકેડમી અંગે વાત કરી છે .ગાંગુલીએ કહ્યું, 'તે હાલમાં NCAના ડાયરેક્ટર છે. તઓ એસીએ વિશે અમારી સાથે વાત ચીત કરવા દુબઈ આવ્યા હતાં. નવા ક્રિકેટરોને લાવવામાં એનસીએ મોટી ભૂમિકા ભજવે છે. તે આ અંગે ચર્ચા કરવા આવ્યાં હતાં.
દ્રવિડે પોતાના નિર્ણય જણાવવા માટે થોડા સમય માંગ્યો છે
તમને જણાવી દઈએ કે, આ પહેલા રાહુલ દ્રવિડને પણ ટીમ ઈન્ડિયાના કોચ બનવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે ના પાડી દીધી હતી. ગાંગુલીના મતે દ્રવિડ સામે ફરી એકવાર હેડ કોચ બનવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પરંતુ અત્યાર સુધી તેણે કંઇ કહ્યું નથી. ગાંગુલીએ કહ્યું, 'અમે અગાઉ પણ તેમની સાથે સિનિયર ટીમના કોચ બનવા અંગે વાત કરી હતી, પરંતુ તે સમયે પણ તેમણે કોઈ રસ દાખવ્યો ન હતો. તે હજુ પણ પોતાના સ્ટેન્ડને વળગી રહે છે. તેમણે નિર્ણય માટે થોડો સમય માંગ્યો છે. ચાલો જોઈએ શું થાય છે.'
ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા ફેરફારના સંકેત છે
ટી-20 વિશ્વ બાદ ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફારના સંકેત છે. વિરાટ કોહલીએ જાહેરાત કરી છે કે તે હવે વર્લ્ડ કપ બાદ કેપ્ટન રહેશે નહીં. મુખ્ય કોચ રવિ શાત્રીનો કાર્યકાળ પૂર્ણ થશે. BCCI એ નવા કોચ માટે અરજીઓ મંગાવી છે. કોચ પદ માટે BCCI દ્વારા નક્કી કરાયેલી શરતો અનુસાર ઉમેદવારની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ. શાસ્ત્રી આવતા વર્ષે મે મહિનામાં 60 વર્ષના થશે. બોલિંગ કોચ ભરત અરુણ આ વર્ષે ડિસેમ્બરમાં 59 વર્ષના થશે.જ્યારે બેટિંગ કોચ વિક્રમ રાઠોડ 53 વર્ષના થવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાઠોડ મુખ્ય કોચ માટે અરજી કરી શકે છે.