રૂપાળો ચહેરો, મેક-અપ, લાલ સાડી અને હાથમાં ત્રિશુલ..સાંભળતાની સાથે જ આપણા માનસપટ પર રાધે માની છબિ ઉભી થાય છે. સુખવિંદર કૌર જેને રાધે મા તરીકે પ્રસિદ્ધ મળી છે તેમને બિગબોસ-14 માટે અપ્રોચ કરવામાં આવ્યા છે. 13મી સિઝન માટે પણ તેમને અપ્રોચ કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે શૉમાં એન્ટ્રી નહોતી લીધી.
બહુચર્ચિત રાધે માની થશે એન્ટ્રી
સલમાન ખાન અને રાધેમા સામસામે
પંજાબની રહેનાર છે રાધે મા
સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતા શૉમાં જોવાનુ રહેશે કે રાધે મા ટીવી એક્ટર્સ સાથે કેવી રીતે મેળ કરી શકે છે. તમને જણાવી દઇએ કે, પંજાબના ગુરદાસપૂર જીલ્લાના દોરાંગલા ગામમાં જન્મેલી સુખવિંદર કૌર એટલે કે રાધે માએ નાની ઉંમરમાં જ આધ્યાત્મની રાહ પકડી લીધી હતી. જે બાદ તે પોતાની કમાણી જરૂરિયાતમંદ લોકોને દાન કરતી રહી. રાધેમાની ફેન ફોલોઇંગ ઘણી વધારે છે.
રાધે મા શ્રી રાધે ગુરુ મા ચેરીટેબર ટ્રસ્ટ ચલાવે છે. થોડા સમય પહેલા તેમણે પીએમ કેર ફંડમાં 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બિગબોસ-14ને લઇને જબરજસ્ત બઝ ક્રિએટ થયો છે. પહેલા શૉ સપ્ટેમ્બરમાં ઓન એર થવાનો હતો હવે તે જ શૉ ઓક્ટોબરમાં ઓન એર થશે. આ શૉ ક્યારે ઓન ઍર થશે તે વાતનો ખુલાસો હજૂ થઇ શક્યો નથી.
રાધે મા સિવાય આ શૉમાં જાસ્મિન ભસીન, નિયા શર્મા, નલિની નેગી, નયના સિંહ જેવા સ્ટાર એન્ટ્રી લેવા જઇ રહ્યાં છે. શૉ ઘણો જ મજેદાર થશે. તમને જણાવી દઇએ કે, બિગબોસમાં ઘણા બદલાવ જોવા મળશે. શૉમાં જંગલ થીમ જોવા મળશે.