રાજ્યમાં જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ-કોંગ્રેસ બંને પ્રચારને વધુને વધુ વેગવંતો બનાવી રહ્યા છે..ગત લોકસભાની ચૂંટણી ભાજપે ભલે ગુજરાતની 26 બેઠકો પર જીત મેળવી હોય પરંતુ આ વખતે સ્થિતિ ગત વર્ષની સરખામણીમાં કંઈક અલગ જ લાગી રહી છે. અને કદાચ તે બાબત ભાજપને પણ અંદરખાને ખ્યાલ જ હશે. કેમ કે આ વખતે મોદી લહેર નહીં પરંતુ મોદી સરકારના કાર્યકાળના આધારે જનતા ભાજપની પસંદગી કરી શકે છે. જો કે આ વખતે પ્રધાનમંત્રી મોદી જાતિવાદનું કાર્ડ પણ ખેલી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે શું આ વખતે ભાજપ ક્લીન સ્વીપ કરી શકશે કે કેમ? શા માટે પીએમને જાતિવાદનું કાર્ડ ખેલવાની જરૂર પડે છે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન