સિદ્ધુને સીએમ બનતો અટકાવવા કોઈ પણ બલિદાન આપવા તૈયાર
સિદ્ધુને સીએમ બનતો અટકાવવા કોઈ પણ બલિદાન આપવા તૈયાર
પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દરે તેમના રાજકીય હરીફ પ્રદેશાધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને બરાબરના લપેટામાં લેતા કહ્યું કે સિદ્ધુને સીએમ બનતો અટકાવવા તેઓ કોઈ પણ બલિદાન આપવા તૈયાર છે.
અમરિન્દરના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે એક પછી એક ઘણા ટ્વિટ કરીને આકરા પ્રહારો કર્યાં છે. પહેલા ટ્વિટમાં સિદ્ધુની સામે મોરચો ખોલતા અમરિન્દરે લખ્યું કે સિદ્ધુને પંજાબનો સીએમ બનતો અટકાવવા કોઈ પણ કુર્બાની આપવા તૈયાર છું. 2022 ની ચૂંટણીમાં સિદ્ધુને હરાવવા એક મજબૂત ઉમેદવારો ઊભો રાખીશ. જો સિદ્ધુ સીએમનો ચહેરો બને તો પંજાબ કોંગ્રેસ 10 નો આંકડો સ્પર્શ કરી તો ય ઘણું છે.
રાહુલ-પ્રિયંકા મારા છોકરા જેવા, સલાહકારો ગેરમાર્ગે દોરે છે
બીજા ટ્વિટમાં અમરિન્દરે લખ્યું કે હું વિજય બાદ રાજનીતિ છોડવા તૈયાર હતો પરંતુ પરાજય પછી તો કદી પણ નહીં. મેં 3 અઠવાડિયા પહેલા સોનિયા ગાંધીને રાજીનામું સોંપી દીધું હતું. પરંતુ તેમણે મને સીએમ તરીકે ચાલુ રહેવાની અપીલ કરી.
ત્રીજા ટ્વિટમાં તેમણે લખ્યું કે પ્રિયંકા અને રાહુલ મારા બાળકો જેવા છે. તેમને આ રીતે ખતમ થવાની જરુર નહોતી. હું દુખી છું. હકીકત એ છે કે ગાંધી- ભાઈ-બહેન અનુભવહીન છે તેમના સલાહકારો ગેરમાર્ગે દોરે છે.
અકાલી નેતાઓને જેલમાં પૂરી દેખાડે
ચોથા ટ્વિટમાં અમરિન્દરે લખ્યું કે કેસી વેણુગોપાલ, અજય માકન અથવા સુરજેવાલા કેવી રીતે નક્કી કરી શકે કે કયું મંત્રાલય કોનું આપવું. સિદ્ધુએ મારી સામે ફરિયાદ કરી હતી કે મેં બાદલ પરિવારની સામે કાર્યવાહી ન કરી પરંતુ હવે તેઓ સત્તામાં છે તેઓ અકાલી દળના નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેખાડે.