શું પ્રિયંકા ગાંધી જ કોંગ્રેસની તારણહાર બનવા જઇ રહી છે? આ સવાલ ગત 24 કલાકમાં ઘણી વાર ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. લોકોને સમજાઇ રહ્યું નથી કે યોગી સરકારને આ સલાહ કોણે આપી કે પ્રિયંકા ગાંધીને સોનભદ્ર હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને ન મળવા દેવામાં આવે.
જે પણ કારણ હોય પરંતુ યોગી સરકારે પોતાના ગોલ પોસ્ટમાં ગોલ કરી નાંખ્યો છે. અને આ બાજુ પ્રિયંકા ગાંધીને ઇન્દિરા ગાંધી બનવાની તક મળી ગઇ છે. જમીન પર કોંગ્રેસની એટલી કેડર બચી નથી પરંતુ સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં જરૂર ઉત્સાહ જોવા મળ્યો છે. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે પ્રિયંકા ગાંધીની ફોટો પણ કોંગ્રેસના નેતા ખૂબ શેયર કરી રહ્યા છે. ઇન્દિરા ગાંધીની આ તસવીર 1977ની છે.
1977માં કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર હતી. બિહારના બેલચીમાં 11 દલિતોની હત્યા કરી દેવાઇ હતી. આ ઘટના બાદ ઇન્દિરાએ બેલચી જઇને મૃતકોના પરિવાર જનોને મળવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તેમની રાહ સરળ નહોતી કેમકે પૂરને કારણે તમામ રસ્તાઓ બંધ હતા. જોકે, ઇન્દિરા ન માની અને જીપ-ટ્રેક્ટર અને અંતે હાથી પર બેસીને તે બેલચી ગામ પહોંચી હતી. તેમની આ તસવીર આજે પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. ઇન્દિરાનો બેલચી ગામનો પ્રવાસ કોંગ્રેસ માટે સંજીવની સાબિત થયો. જેણે ફરીવાર સત્તામાં પાછા આવવાનો રસ્તો ખોલી નાંખ્યો.
2019માં સોનભદ્ર કાંડ
લોકસભા બાદ કોંગ્રેસ સુસ્ત દેખાઇ રહી છે. રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસ નવા અધ્યક્ષની શોધમાં છે. જોકે, બીજી તરફ પ્રિયંકા ગાંધી તમામ મોટા મુદ્દાઓ પર મોરચો થામી રાખ્યો છે. સોનભદ્રમાં જમીન પર કબજાને મામલે થયેલ હત્યાકાંડમાં માર્યા ગયેલા મૃતકોના પરિવારજનોને મળવા જ્યારે નિર્ણય લેવામાં આવ્યો તો લાગ્યું કે યુપી સરકાર અસંમજસમાં છે. તંત્રે તેમના પર ઉભા ગામ જતા રોક્યા અને અટકાયત કરી મિર્જાપુર ગેસ્ટહાઉસ મોકલી દીધા. પરંતુ પ્રિયંકા ગાંધી ધરણા પર બેસી ગઇ. અધિકારી પ્રિયંકાને મનાવવાની કોશિશ કરી રહ્યા હતા.
અંતે પીડિતોના પરિવાર તેમને મળવા ચૂનાર આવી ગયા. ત્યારે તંત્રે તેમને બે પરિવારો સાથે મળવાની મંજૂરી આપી. આ એક પ્રકારે પ્રિયંકા ગાંધીની જીત હતી. તેમને મળ્યા બાદ પ્રિયંકા ગાંધીએ એલાન કર્યું કે કોંગ્રેસ તરફથી પરિવારજનોને 10 લાખની મદદ કરવામાં આવશે.
#WATCH: Priyanka Gandhi Vadra met the family members of the victims of Sonbhadra firing incident that claimed lives of 10 people, in Chunar. pic.twitter.com/RhiLijLbm6
ગત 24 કલાકમાં પ્રિયંકા ગાંધીનો સંઘર્ષ સમાચારોમાં છવાઇ રહ્યો છે. પીડિતોના પરિવારજનોને મળવાની જિદ અને પછી તેમના ધરણા પર બેસવું ઓછામાં ઓછા કોંગ્રેસ કાર્યકર્તાઓ માટે જરૂર ઉર્જા લઇને આવ્યો છે. કેટલાય દિવસો બાદ કોંગ્રેસનો કોઇ નેતા સરકાર-તંત્ર સામે એકલા હાથે લડત આપતો જોવા મળ્યો.
જ્યારે કોંગ્રેસના કથિત યુવા નેતાઓ સોશિયલ મીડિયા પર નિવેદનબાજી કરતા નજરે પડ્યા. ધરણાનો સમય વધતો જોઇ દીપેન્દર હુડ્ડા, જિતિન પ્રસાદ, રાજ બબ્બર અને રાજીવ શુક્લા જરૂર વારાણસી સુધી ગયા પરંતુ તેમને એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવી. અહીં તંત્ર પણ પ્રિયંકા ગાંધી પીડિતોના 2 પરિવારજનોને મળવાની મંજૂરી આપી ચૂક્યો હતો. જોકે, પ્રિયંકા ગાંધીને ઇન્દિરા કહેવી ઉતાવળ ગણાશે. જોકે, આ ધરણાથી એમણે સાબિત કરી નાંખ્યું છે કે તેમનામાં સંઘર્ષ કરવાની ક્ષમતા છે.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 20, 2019
શું ઉત્તર પ્રદેશમાં હવે પ્રિયંકા ગાંધી છે આશા
પ્રિયંગા ગાંધીએ આ એ વાતના સ્પષ્ટ સંકેત આપી દીધા હતા કે તે હવે ઉત્તર પ્રદેશને જ પોતાનું કેન્દ્ર બનાવશે. પરંતુ હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં તે પ્રચારની જવાબદારી સંભાળી શકે છે. કુલ મળીને જો લોકસભા ચૂંટણીમાં હાર બાદ પણ પ્રિયંકા ગાંધી સતત સંઘર્ષ કરી રહી છે તો તે કોંગ્રેસ માટે સારી વાત છે.