ખુદ પ્રધાનમંત્રીને ગુજરાતની ચૂંટણીના પ્રચારમાં આટલી તાકાત કેમ લગાડવી પડી? શું કારણ હતું કે ભાજપને રાષ્ટ્રીય નેતાઓની આખી ફોજ ગુજરાતમાં ઉતારી દેવાની ફરજ પડી હતી.?
ગુજરાતમાં પરિવર્તન કે પુનરાવર્તન?
ગુજરાતમાં PMએ કરી 30 જેટલી રેલી અને જનસભા
PMની જનસભાઓ ભાજપને અપાવશે જીત?
ચૂંટણીના પ્રચારમાં કેમ ખુદ PMને ઉતરવું પડ્યું?
પ્રચારમાં કેમ PMને લગાડવી પડી તાકાત?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં થયેલા ઓછા મતદાને રાજકીય પક્ષોને ચિંતામાં મુકી દીધા છે. જોકે ગુજરાતની ચૂંટણીને લઈને ભાજપ પક્ષે ખુબ વહેલી તૈયારીઓ ચાલુ કરી દીધી હતી. છેલ્લા કેટલાક સમયથી ખુદ પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં સભાઓ પર સભાઓ ગજાવી રહ્યા હતા. એક અંદાજ મુજબ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં લગભગ 30 જેટલી રેલીઓ કરી. જોકે સવાલ એ ઉઠી રહ્યો છે કે ખુદ પ્રધાનમંત્રીને ગુજરાતની ચૂંટણીના પ્રચારમાં આટલી તાકાત કેમ લગાડવી પડી? શું કારણ હતું કે ભાજપને રાષ્ટ્રીય નેતાઓની આખી ફોજ ગુજરાતમાં ઉતારી દેવાની ફરજ પડી હતી.? આવો જોઈએ.
ગુજરાતમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાઇ. જેનું મતદાન આજે પૂર્ણ થઇ ગયું છે. જેનું પરિણામ આજે ગુરુવારને 8 ડિસેમ્બરના રોજ આવશે. ત્યારે આ ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે. ગુજરાતમાં 2017માં બંને તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. ગઇકાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરાશે.