દુનિયામાં કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે. આ આફત સામે લડવા માટે મોદી સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. દેશમાં હાલમાં કોરોનાના કુલ સંક્રમિત કેસની સંખ્યા 694 થઈ છે અને દેશમાં કુલ 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ સમયે જ્યોતિશ વિશેષજ્ઞ હેમેન્દ્ર મિસ્ત્રીએ જણાવ્યું છે કે આ વિનાશક આપત્તિ છે. એપ્રિલ 2020થી 150 વર્ષ પછી ગ્રહોનું પરિવર્તન થશે અને તે દુનિયાને હલાવી દેશે. પરંતુ આ સમયે જો PM મોદીની કુંડળી મજબૂત છે. જો તેમની સલાહ માનીને દેશ ચાલશે તો પીએમની કુંડળીના આધારે 70 ટકા અને તેમની સલાહ માનવાના કારણે દેશવાસીઓને 30 ટકા રાહત મળશે. એટલે કે PM મોદી જ હાલમાં દેશને કોરોનાથી બચાવી શકે તેમ છે.
PM મોદી બચાવશે દેશને કોરોનાના સંકટથી?
જ્યોતિષીએ PM મોદીની કુંડળીના આધારે કરી ભવિષ્ય વાણી
PM મોદીની સલાહ માનવાથી દેશવાસીઓને થશે ફાયદો
દુનિયા અત્યારે વૈશ્વિક મહામારીમાંથી પસાર થઇ રહી છે. હાલના ગ્રહો અનુસાર એપ્રિલ 2020થી 150 વર્ષ પછી મકર રાશિ શનિ, મંગળ, ગુરુ અને પ્લુટોનો થનારો યોગ પૂરા વિશ્વને હચમચાવી મૂકશે. આ સમયે વિશ્વને ભૂકંપ, યુદ્ધ, સુનામી, પ્લેન અકસ્માત, અકાળ મૃત્યુ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
હાલમાં કોરોનાના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે દેશ
હાલના ગ્રહો અનુસાર ભારતની આઝાદીની કુંડળી અને PM મોદીની કુંડળી મુજબ તેમની ગ્રહ સ્થિતિ જોતાં જણાય છે કે ભારત દેશ કોરોના જેવી બીમારીમાંથી 70 ટકા બહાર આવી જશે. ઉલ્લેખનીય છે કે મોદીજીની કુંડળી મુજબ એમની નિર્ણય શક્તિ ખુબ જ સારી છે. જો તેમની સલાહ મુજબ દેશ ચાલશે તો દેશ બચી જશે. કારણ કે તેમનું ભાગ્ય બળવાન છે. જે દેશના રાજાનું ભાગ્ય બળવાન હોય તે દેશને તેની નિર્ણય શક્તિથી બચાવી શકે છે.
દેશવાસીઓનો સહકાર પણ કરશે મદદ
આ બધાની સાથે અન્ય મહત્વની વાત એ છે કે દેશની પ્રજા મોદીજીની વાત કેટલી માને છે. પ્રજા જો PM મોદીની વાત માનશે અને સહકાર આપસે તો અન્ય 30 ટકા પણ રાહત જલદી જ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે જૂન કે સપ્ટેમ્બર મહિના સુધી PM મોદીની વાત માનીને ચાલવાથી કોરોનાને માત આપી શકાશે.
હાલમાં દેશમાં કોરોનાની સ્થિતિ આવી છે
દુનિયાભરમાં કોરોનાના 5 લાખ 29 હજાર 93 કેસ નોંધાયા છે. તો કોરોનાને કારણે 24 હજાર 70 લોકોના મોત થયા છે. 175 દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. દેશમાં કોરોના વાયરસની મહામારીને પગલે લૉકડાઉન જાહેર કરાયું છે. છતાં કેસ સતત વધી રહ્યા છે. હાલ સુધીમાં ભારતમાં કોરોનાના 694 કેસ પોઝિટિવ જોવા મળ્યા છે. તો અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાથી 16 લોકોના મોત થયા છે. ગુજરાત-મહારાષ્ટ્રમાં 3-3 લોકોના મોત થયા છે. સારવાર બાદ ભારતમાં અત્યાર સુધીમાં 45 દર્દી સ્વસ્થ થયા છે. ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 42 થઈ છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. અહીં કોરોનાના સૌથી વધારે પોઝિટિવ કેસ છે.