ભારે ભરખમ દેવુ અને સતત થઇ રહેલા ખર્ચથી મોટા નાણાકીય સંકટમાં ફસાયેલી ટેલિકૉમ કંપની વોડાફોન-આઇડિયા (Vodafone-idea) એજીઆર સરકારને બાકી ચૂકવણી માટે તૈયાર છે પરંતુ તેનું કહેવું છે કે તે પોતાનો વેપાર ત્યારે જ ચાલુ રાખી શકે છે, જ્યારે સુપ્રીમ કોર્ટ દૂરસંચાર વિભાગને 53,000 કરોડ રૂપિયાની બાકી ચૂકવણી માટે આપવામાં આવેલી સમયમર્યાદામાં ઉદારતા દર્શાવવા પર વિચાર કરશે.
મોટા નાણાકીય સંકટથી ફસાયેલી ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયાનું મોટુ નિવેદન
વોડાફોન આઇડિયાએ કહ્યું, સુપ્રીમ કોર્ટ બાકી ચૂકવણી માટે સમય મર્યાદામાં ઉદારતા દર્શાવે
સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબરે એક આદેશમાં ત્રણ મહીનામાં ટેલિકોમ કંપનીઓને ચૂકવણી કરવા કહ્યું હતું
1.1 લાખ કરોડથી પણ વધારે દેવુ
વોડાફોન-આઇડિયા પર 1.1 લાખ કરોડ રૂપિયાથી વધારેનું દેવું છે અને સુપ્રીમ કોર્ટના એજીઆર પર નિર્ણયનો સૌથી વધારે અસર તેના પર પડી રહ્યો છે. કંપનીએ કહ્યું, તે એ વાતનું આકારણી કરી રહી છે કે તે સરકારને કેટલા પૈસા આપી શકે છે.
દૂરસંચાર વિભાગને તે એજીઆર બાકી ચૂકવણી કરી શકશે કે નહીં, આ આશંકાની વચ્ચે કંપનીએ એક નિવેદનમાં કહ્યું, કંપનીએ આ પ્રકારે આકરણી કરવામાં આવેલી રાશિનો આવનારા કેટલાક દિવસોમાં ચૂકવણીનો પ્રસ્તાવ આપ્યો છે. જોકે, તેણે એ વાત પણ સ્પષ્ટ કરી છે ચૂકવણી માટે તેને સમય મર્યાદામાં થોડી રાહતની જરૂર છે.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 24 ઓક્ટોબરે આપવામાં આવેલા આદેશમાં ત્રણ મહીનાની અંદર ટેલિકોમ કંપનીઓને બાકી ચૂકવણી કરવા કહ્યું હતું. ત્યારબાદ કંપનીઓએ કોર્ટથી બાકી ચૂકવણીની સમય મર્યાદા ફરીથી વિચાર કરવાની માંગને લઇને એક અરજી દાખલ કરી હતી પરંતુ તેને શુક્રવારે ફગાવી દેવામાં આવી હતી.