આસામના નાણામંત્રી હિમાંતા બિસ્વ સરમાએ સોમવારે કહ્યું હતું કે, જો બહારથી નાણાકીય સહાય નહીં મળે તો રાજ્ય સરકાર તેના કર્મચારીઓને મે મહિનાનો પગાર ચૂકવી શકશે નહીં. પત્રકાર પરિષદને સંબોધતા બિસ્વ સરમાએ જણાવ્યું હતું કે મે મહિનાના પહેલા અઠવાડિયા પછી સરકાર એપ્રિલનો પગાર ચૂકવશે, પરંતુ તે પછી સરકાર પગાર ચૂકવી શકશે નહીં.
આસામના નાણામંત્રીએ નાણાની અછત અંગે કરી વાત
પોતાના કર્મચારીઓને મે મહીનો પગાર નહી આપી શકીએ
જો કોઇ નાણાકીય સહાય નહીં મળે તો પડશે મુશ્કેલી
સરમાએ કહ્યું કે, 'મે મહિનો અમારા માટે ખૂબ મુશ્કેલ છે. મને ખબર નથી કે તિજોરી કેવી રીતે ચાલશે. તેમ છતાં અમે 7 મે પછી એપ્રિલનો પગાર ચૂકવી શકીશું.' જોકે, નાણાં પ્રધાને કહ્યું કે જો જૂનમાં કોઈ મદદ ન મળે તો, અમે બાકી લેણદારોની ચૂકવણી કરવાની સ્થિતિમાં નહીં હોઈએ. બિસ્વ સરમાએ કહ્યું, 'જો અમને બહારથી આર્થિક સહાય ન મળે તો પગાર ચૂકવવો અમારા માટે મુશ્કેલ થઈ જશે.'
નાણાં પ્રધાને કહ્યું, GST કાઉન્સિલ વધુ આવક અંગે નિર્ણય લેશે
બજેટ દરખાસ્તો અંગે વાત કરતાં સરમાએ કહ્યું કે સરકાર આ વર્ષે ઓગસ્ટથી આવતા વર્ષે એપ્રિલની વચ્ચે તેનો અમલ કરવાનો પ્રયાસ કરશે. જ્યારે વધુ આવક કમાવવા માટે ટેક્સ સ્ટ્રક્ચર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ પ્રકારનો કોઈ નિર્ણય ફક્ત GST કાઉન્સિલ જ લેશે. તેમણે કહ્યું, 'રાજ્ય તરીકે અમે ફક્ત પેટ્રોલ, ડીઝલ અને દારૂ પર જ ટેક્સ લગાવી શકીએ છીએ. અમે ઉપભોક્તાઓને અસર કર્યા વિના બળતણ પર વધુ ટેક્સ લગાવવાનું વિચારી શકીએ છીએ. પરંતુ આ ત્યારે જ થઈ શકે છે જ્યારે ઇંધણના ભાવમાં ઘટાડો થાય છે. જે ગ્રાહકના ભાવને વધુ અસર કરતું નથી.
આસામની નાણાકીય સ્થિતિ પર કેન્દ્રીય નાણાં પ્રધાન સાથે વાત કરી
સરમાએ કહ્યું કે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમને આસામની નાણાંકીય સ્થિતિ અંગે જાણકારી લેવા રવિવારે તેમણે ફોન પર કહ્યું હતું કે આ મુદ્દાઓ પર ચર્ચા માટે બધા રાજ્યની સાથે એક વીડિયો કોન્ફરન્સ બેઠક આયોજીત કરવામાં આવશે.