ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચહરે કહ્યું હતું કે, 'કોઈએ કહ્યું નથી કે આ ધોનીનું છેલ્લું વર્ષ હશે. આશા છે કે તે વધુ રમશે. અમે ઈચ્છીએ છીએ કે ધોની શક્ય હોય તેટલું રમે.'
ચર્ચા છે કે એમએસ ધોની માટે આ છેલ્લી IPL હોઈ શકે
CSKના એક ખેલાડીએ ખુલાસો કર્યો કે ધોની આગળ પણ રમી શકે છે
ધોનીની કપ્તાનીમાં રમવું સૌભાગ્યની વાત છે
આઈપીએલની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે અને તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવામાં ચેન્નાઈ સુપર કિંગના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ દર વર્ષની જેમ આ વર્ષે મેદાન પર રમતા જોવા મળશે. નોંધનીય છે કે ધોનીની નિવૃત્તિને લઈને ઘણી વખત તેના પર ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે CSKના કેપ્ટન એમએસ ધોની માટે આ છેલ્લી IPL હોઈ શકે છે. આ બધી ચર્ચા વચ્ચે CSKના એક ખેલાડીએ ખુલાસો કર્યો છે કે ધોની આગળ પણ રમી શકે છે.
આવતી સિઝનમાં પણ રમી શકે છે ધોની
IPL 2023ની પહેલી મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. એવામાં ટીમના ઝડપી બોલર દીપક ચહરનું કહેવું છે કે એમએસ ધોની આ મેચ પછી પણ આવતી સિઝનમાં પણ રમી શકે છે. એમવા આ વિશે વાત કરતાં કહ્યું હતું કે 'એ વાતની કોઈ ગેરંટી નથી કે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ધોનીને છેલ્લી વખત જોવામાં આવશે'. વર્ષ 2022માં જ્યારે ધોનીને પૂછવામાં આવ્યું કે શું તે 2023ની ટૂર્નામેન્ટમાં રમવા આવશે તો ત્યારે ધોની કહ્યું હતું કે તે ચોક્કસ રમશે.
ધોનીની કપ્તાનીમાં રમવું સૌભાગ્યની વાત છે
ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચહરે કહ્યું હતું કે, 'કોઈએ કહ્યું નથી કે આ ધોનીનું છેલ્લું વર્ષ હશે. આશા છે કે તે વધુ રમશે. અમે આવી કોઈ વાત જાણતા નથી. અમે ઈચ્છીએ છીએ કે ધોની શક્ય હોય તેટલું રમે.' સંન્યાસ વિશે આગળ વાત કરતાં તેને કહ્યું હતું કે, 'ધોની જાણે છે કે તેને ક્યારે સંન્યાસ લેવો. અમે જોયું છે જ્યારે તેને ટેસ્ટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું કર્યું છે. બીજું કોઈ જાણતું નથી. મને આશા છે કે તે રમવાનું ચાલુ રાખશે. ધોનીની કપ્તાનીમાં રમવું એ સૌભાગ્યની વાત છે.'
2008 થી CSK સાથે જોડાયેલ છે ધોની
મહેન્દ્ર સિંહ ધોની વર્ષ 2008માં રમાયેલી IPLની પ્રથમ આવૃત્તિથી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે છે. નોંધનીય છે કે જ્યારે વર્ષ 2016 માં CSK પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે ધોની રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ તરફથી રમ્યો હતો. બીજી તરફ જો આઈપીએલ 2022ની શરૂઆતની 6 મેચોને છોડી દેવામાં આવે તો ધોની CSKનો કેપ્ટન રહ્યો છે. નોંધનીય છે કે ગઇ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો પણ જાડેજાએ 6 મેચમાં કેપ્ટનશિપ કર્યા બાદ રાજીનામું આપી દીધું હતું.