રામ મંદિર નિર્માણ અને ધારા 370 ખતમ કરી દેવા જેવી ઉપલબ્ધિ બાદ હવે સરકાર પર વસ્તી નિયંત્રણ કાયદો લાવવા માટે આગળ વધવાનું દબાણ વધી રહ્યું છે. ભાજપના જ રાજ્યસભા સાંસદે પીએમ મોદીને પત્ર લખીને આગામી સત્રમાં બીલ લાવવાનો આગ્રહ કર્યો છે. નોંધનીય છે કે ગત સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ પણ વસ્તી નિયંત્રણ કરવા પર બળ આપ્યું હતું.
વસ્તી નિયંત્રણ કાયદા પર પીએમ મોદીને સાંસદે લખ્યો પત્ર
કાયદો લાવવા પીએમ મોદી સામે કરી માંગ
પીએમ મોદીએ પણ ગત સ્વતંત્રતા દિવસ પર વસ્તી વિસ્ફોટ પર ચિંતા વ્યક્ત કરી હતી
ભાજપ સરકાર એક બાદ કે મોટા પગલાંઓ ભરી રહી છે અને તેના કારણે જ સરકારમાં આત્મવિશ્વાસ પણ સતત વધી રહ્યો છે. ઘણા લોકો માને છે કે પીએમ મોદીની ટેવ છે કે તે ભવિષ્યમાં જે નિર્ણય લેવાના છે તેના સંકેત પહેલેથી જ આપી દે છે. એવામાં અનીલ અગ્રવાલ દ્વારા લખવામાં આવેલ આ પત્ર મહત્વનો બની રહે છે. આ પત્રમાં તેમણે કહ્યું છે કે રામ મંદિર માટે 500 વર્ષ સુધી રાહ જોવી પડી અને જ્યારે મોદી વડાપ્રધાન બન્યા ત્યારે આ રાહ પુરી થઇ, હવે વસ્તીનિયંત્રણ કાયદાનો વારો આવી ગયો છે.
ભાજપ સાંસદ અનિલ અગ્રવાલે પીએમ મોદીને પત્ર લખીને માંગ કરી છે કે 15મી ઓગસ્ટે દેશવાસીઓને વસ્તી નિયંત્રણ વિશે જણાવવામાં આવે અને સાથે જ રાષ્ટ્રહિતમાં આગામી સત્રમાં વસ્તીનિયંત્રણ કાયદો પસાર કરવામાં આવે.
નોંધનીય છે કે ગત સ્વતંત્રતા દિવસ સમારોહમાં પીએમ મોદીએ પણ વસ્તી વિસ્ફોટ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે તેના કારણે અનેક સંકટ ઉભા થાય છે. પરિવારને સીમિત રાખવાને તેમણે દેશભક્તિથી જોડી દીધું હતું. તેમણે જનતાથી અપીલ પણ કરી હતી કે વસ્તી નિયંત્રણમાં સહયોગ કરો.
તેમણે કહ્યું હતું કે આપણી આવનાર પેઢીઓ માટે વસ્તી વિસ્ફોટના કારણે ઘણી બધી સમસ્યાઓ પેદા થશે. પરંતુ જનતામાં એક શ્રેણી એવી પણ છે કે જે બાળકને દુનિયામાં લાવ્યા પહેલા વિચારે છે કે તે બાળકને ન્યાય આપી શકશે કે નહીં, તેને તે બધું જ આપી શકશે કે નહીં. તેમનો પરિવાર નાનો છે અને તે આ માધ્યમથી પોતાની દેશભક્તિ જાહેર કરે છે. તેમનાથી શીખવું જોઈએ. તેમણે કહ્યું હતું કે નાના પરિવારની નીતિનું પાલન કરનારા રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે અને તે દેશભક્તિનું જ રૂપ છે.