દેશમાં કોરોના વાયરસથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધારે છે. જેની વચ્ચે સોશ્યલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકાર દરેક પીડિતને 4000 રૂપિયા આપવા જઇ રહી છે.
મોદી સરકાર આપી રહી છે 4000 રૂપિયા
સોશ્યલ મિડીયા પર વાયરલ થયો આ મેસેજ
કોવિડ પીડિત લોકોને સહાય કરવાની અફવા સાચી ?
દેશમાં જ્યારથી મહામારી શરૂ થઇ ત્યારથી ઘણી બધી અફવાઓ બજારમાં ઉડી હતી. તડકામાં કોરોના વાયરસ ટકતો નથી તે હોય કે છાણ શરીર પર લગાવવાથી કોરોના ભાગે છે તે હોય. આ પ્રકારની અફવાથી વિજ્ઞાનને કોઇ લેવા દેવા નથી. તેવી જ રીતે આ અફવા પણ વાયરલ થઇ છે કે સરકાર કોવીડ રાહત યોજના હેઠળ કોરોના કેર ફંડમાંથી 4-4 હજાર રૂપિયા આપી રહી છે. તેની સાથે અપ્લાય કરવા માટે એક લિંક પણ આપવામાં આવી છે.
एक #WhatsApp मैसेज में दावा किया जा रहा है कि भारत सरकार 'कोरोना केयर फंड योजना' के तहत सभी को ₹4000 की सहायता राशि प्रदान कर रही है।#PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। भारत सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है। pic.twitter.com/SSLK6x66He
PIBના અધિકારીક ફેક્ટ ચૅક ટ્વિટર હેન્ડલ દ્વારા આ દાવાને ખોટો ગણાવ્યો છે. તેની સાથે જ લખ્યું છે કે સોશ્યલ મિડીયામાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર કોરોના કેર ફંડ યોજના હેઠળ દરેકને 4000 રૂપિયાની સહાયતા આપી રહી છે. આ દાવો ખોટો છે અને ભારત સરકાર તરફથી કોઇ પ્રકારની આવી યોજના ચલાવવામાં આવી રહી નથી.
મોદી સરકારે આ નિર્ણય લીધો
લૉકડાઉનના કારણે વેપાર ધંધા બંધ થઈ જતાં કેટલાય પરિવારો પાયમાલ થઈ ગયા છે ત્યારે મોદી સરકાર દ્વારા વિવિધ રાહત પેકેજની સાથે અન્ય નિર્ણયો દ્વારા લોકોને લાભ પહોંચાડવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
કોરોના મહામારીને કારણે દેશના છૂટક અને જથ્થાબંધ વ્યાપારીઓને થતાં નુકસાનમાંથી બહાર નિકળવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર હવે દેશના છૂટક અને જથ્થાબંધ વ્યાપારીઓને પણ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ વેપારને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. એમએસએમઈ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, કોવિડ-19ની બીજી લહેરને કારણે આવેલા નુકસાનથી છૂટક અને જથ્થાબંધ વેપારીઓ પર પડેલી અસરને ધ્યાનમાં રાખીને હવે તેમને MSMEના દાયરામાં લાવવાનો નિર્ણય કર્યો છે.
2.5 કરોડથી વધુ વ્યાપારીઓને લાભ મળશે
નીતિન ગડકરીએ કહ્યું કે પ્રાયોરિટી સેક્ટર લેડિંગ અંતર્ગત આ સેક્ટરને લાવીને આર્થિક સહાયતા પહોંચાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. હવે છૂટક અને જથ્થાબંધ વ્યાપારી પણ રજીસ્ટ્રેશન કરી શકશે. જેનાથી તેમને આરબીઆઈના દિશા-નિર્દેશો હેઠળ બેંકોમાંથી પ્રાથમિક ક્ષેત્રમાંથી સસ્તી લોન મળવાનું સુનિશ્ચિત થશે. નાના, લઘુ મંત્રાલયે છૂટક અને જથ્થાબંધ વ્યાપારીઓને એમએસએમઈમાં સામેલ કરવા માટે સૂચના જાહેર કરી દીધી છે. સરકારના આ નિર્ણયથી 2.5 કરોડથી વધુ વ્યાપારીઓને તેનો લાભ મળશે.