Will Mayawati Led Join Nda After Results Of General Elections Betting Market Is Crazy Will Mayawati Led Join Nda After Results Of General Elections Betting Market Is Crazy
લોકસભા ચૂંટણીમાં જીત-હારને લઇને ચારે તરફ સટ્ટાની મોસમ જામી છે આ તમામ બાબતો વચ્ચે ચૂંટણીના પરિણામો બાદ BSP ચીફ માયાવતી NDA માં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
અંદરના સૂત્રોના જણાવ્યાનુસાર ચાલુ વર્ષે સટ્ટો એ વાત પર લગાવવામાં આવી રહ્યો છે કે, શું NDA ને 325થી વધારે બેઠકો મળશે અથવા બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને છોડીને NDA માં જોડાશે.
NDA ના પક્ષમાં છે માહોલ, કોંગ્રેસ ચર્ચાથી બહાર
પોતાના આ તમામ બાબતોથી દુર રાખનાર એક દુકાનદારે કહ્યું કે, કેટલાક લોકો પોતાની ઓળખ વગર કામ કરતા હોય છે. આ સાથે જ એક વ્યક્તિએ એમ પણ જણાવ્યું કે, કોંગ્રેસ તરફથી બોલી લગાવનાર કોઇ નથી મળી રહ્યા.
ઉલ્લેખનીય છે કે, આજરોજ વારાણસી ખાતે યોજાયેલ નરેન્દ્ર મોદીના રોડ શોને સટ્ટાબજારનું ભારે સમર્થન મળી રહ્યું છે અને કેટલાક સટ્ટેબાજોએ ઉત્તર પ્રદેશમાં ભાજપની બહુમતિનો દાવો કર્યો છે. ત્યારે હવે આ બાબતે જોવું જ રહ્યું કે, લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ કોઇ મોટી રાજકીય ઘટના બને છે કે કેમ..?