અમદાવાદની ઓળખ સમી પોળ કલ્ચર ખતમ થવાને આરે ઊભું છે. આવું અમે નહીં પણ ખાડિયાના રહેવાસી અને ભાજપના પૂર્વ ધારાસભ્ય ભુષણ ભટ્ટ ખુદ કહી રહ્યાં છે. અમદાવાદની ઓળખ સમી ખાડિયાની પોળનુ અસ્તિત્વ જોખમમાં મૂકાયું છે. અને તેનું કારણ કોર્પોરેશન અને નેતાઓની મિલિભગત છે. કોર્પોરેશન અને નેતાઓની મિલિભગતથી ખાડિયામાં બેરોકટોક કોમર્શિયલ કોમ્પલેક્સ બાંધવામાં આવી રહ્યાં છે. જેને લીધે દેશ-વિદેશમાં ઓળખ સમી ખાડિયાની પોળો આવનાર દિવસોમાં તસવીરોમાં જ રહી જાય તો નવાઈ નહીં. ઉલ્લેખનિય છે કે અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો અપાવવવામા ખાડિયાની પોળોનો અમૂલ્ય ફાળો છે. અને ભુષણ ભટ્ટે પણ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે ભગીરથ પ્રયાસો કર્યા હતાં...