ટેસ્ટ અને ટી20 જીત્યા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે સિરીઝ શરૂ થવા જઇ રહી છે. ત્યારે સુર્યકુમાર યાદવ કોહલીના માથાનો દુઃખાવો બની ગયો છે.
વિરાટની મૂંઝવણ વધી ગઇ
સૂર્ય કુમાર કે શ્રેયસ ઐયર ?
ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં કોને આપશે ચાન્સ
મંગળવાર એટલે 23 માર્ચના રોજ સિરીઝની પહેલી મૅચ રમાશે. ટી 20 જેટલી શાનદાર રહી હતી તેના કરતા વધારે રોમાંચક વન ડે સિરીઝ રહે તેવું દર્શકો એક્સપેક્ટ કરી રહ્યાં છે. ઇંગ્લેન્ડ દુનિયાની પહેલા નંબરની ટીમ છે ત્યારે ભારત બીજા નંબર પર છે. આ વન ડે સિરીઝ દુનિયાની સૌથી શ્રેષ્ઠ 2 ટીમ વચ્ચે રમાશે.
કોહલી કરશે સિલેક્શન
પહેલી વન ડે મૅચને લઇને કોહલીનુ ટેન્શન વધી ગયુ છે. કારણકે ટીમ સિલેક્શનમાં કોનુ સિલેક્શન કરે અને કોનુ ન કરે. બધા જ પ્લેયર શાનદાર રમ્યા છએ. ટી 20માં જોરદાર પ્રદર્શન કરનાર સુર્ય કુમાર યાદવે કોહલીને તે વિચારવા પર મજબૂર કરી દીધો છે કે ચોથા નંબર પર શ્રેયસ ઐયર કે સૂર્ય કુમાર કોણ રમશે.
સુર્ય કુમારની વાત કરીએ તો આજ સુધી તેણે એકપણ વન ડે રમી નથી. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝના બીજી મૅચમાં તેણે ઇન્ટરનેશનલ મૅચમાં ડેબ્યુ કર્યુ હતુ. જો કે આ મૅચમાં તેને બેટિંગની તક નહોતી મળી. ચોથી મૅચમાં પણ તેને ત્રીજા નંબર પર મોકલવામાં આવ્યો અને તેણે 57 રનની શાનદાર રમત બતાવી હતી.
શું ઐયર થઇ જશે બહાર?
ટી-20 સિરીઝમાં દમદાર પ્રદર્શન બાદ સૂર્ય કુમારને વન ડે સ્ક્વોડમાં જગ્યા મળી છે. તેણે પોતાના પ્રદર્શનથી પોતાની જગ્યા સેફ કરી લીધી છે. જો કે શ્રેયસ જ પહેલાથી બેટિંગ કરતો આવ્યયો છે પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન ડે શ્રેણીમાં તેનુ પ્રદર્શન કંઇ ખાસ નહોતું.
ઐયરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ત્રણ મૅચમાં પહેલી મૅચમાં 2, બીજીમાં 38 અને ત્રીજી મૅચમાં 19 રન બનાવ્યા હતા. ત્રણ મૅચમાં કુલ 59 રન બનાવ્યા હતા.