દેશમાં ચોક્કસપણે કોરોના હળવો પડ્યો છે. જો કે એક એવું પણ અનુમાન છે કે, દેશમાં ચોથી લહેર આવી શકે છે. ત્યારે આ બાબતને લઈને નિષ્ણાંતોનું શું કહેવું છે, તેના વિશે જાણીએ.
દેશમાં કોરોના હળવો પડ્યો
ચોથી લહેરને લઈને થઈ રહી છે વાતો
નિષ્ણાંતોએ જણાવી છે આ વાતો
ભારતમાં રવિવારે 1761 નવા કોરોના વાયરસ સંક્રમણના કેસો નોંધાયા, જે લગભગ 688 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં સોમવારે 1549 કોરોના વાયરસના કેસ રેકોર્ડ કરવામાં આવ્યા. મંગળવારે 1581 કેસો નોંધાયા. જો કે, બુધવાર અને ગુરૂવારને કેસો થોડા વધ્યા, જે ક્રમશ: 1778 અને 1938 નવા કેસો નોંધાયા છે. પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, લક્ષદ્વિપ, પુડુચેરી અને દાદર તથા નગર હવેલીમાં એક પણ કોરોનાનો નવો કેસ નોંધાયો નથી. ઓમિક્રોન વેરિએન્ટના કારણએ ગત લહેર પ્રમાણિત રીતે બીજી લહેરની સરખામણી ખૂબ જ હળવી રહી હતી. નિષ્ણાંતોનું માનવું છે કે, રાષ્ટ્રીય રસીકરણ અભિયાનના માધ્યમથી ઉભી થયેલી હર્ડ ઈમ્યુનિટી અને પ્રાકૃતિક એન્ટીબોડી તેની પાછળનું મહત્વનું કારણ છે.
IIT કાનપુરનો સ્ટડી રિપોર્ટ
જો કે, દેશમાં હવે ચોથી લહેર આવવાની વાત પણ ચાલુ થઈ ગઈ છે. આઈઆઈટી કાનપુરના સંશોધન કર્તા તરફથી એક મોડલિંગ સ્ટડી જણાવામાં આવી છે કે, ભારતમાં કોવિડ 19 મહામારીની ચોથી લહેર 22 જૂનની આસપાસ શરૂ થઈ શકે છે અને ઓગસ્ટ મહિનાના મધ્યમથી લઈને અંત સુધી રહે છે. ત્યારે આ બાબતને લઈને નિષ્ણાંતોએ ચોથી લહેરને લઈને મહત્વની વાત જણાવી છે.
શું કોવિડ 19ની ચોથી લહેર આવવાની છે ?
ડો. ટી. જૈકબ જોન, મહામારી વિજ્ઞાની અને નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજીની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના અધ્યક્ષ- આ વર્ષ દરમિયાન કોઈ પણ સમયે ભારતમાં ચોથી લહેરની ભવિષ્યવાણી કરવાનો કોઈ વૈજ્ઞાનિક અથવા સંક્રામક પુરાવા નથી. પણ આપણે એ અનુમાન લગાવી શકીએ નહીં કે, વાયરસ હવે તેના અંતિમ સ્ટેજ પર છે. ઓમિક્રોન વેરિએન્ટ સમગ્રપણે અપ્રત્યાશિત હતો, કારણ કે અલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અથવા કપ્પાથી નથી આવ્યો. એવું કહેવાયુ છે કે, તેનો સ્ત્રોત હજૂ પણ જાણવા નથી મળ્યો. જો આવી રીતે અજ્ઞાત મ્યૂટેશન વેરિએન્ટમાં બદલી જાય છે, તો બની શકે છે કે, પાછલા વેરિએન્ટની સરખામણીમાં તે વધારે સંક્રામક હોય, પણ મારા અનુસાર સંભાવના ઓછી છે, પણ નવા વેરિએન્ટ સામે આવશે.
ડો. ચંદ્રકાંત લહરિયા, મહામારી વિજ્ઞાની અને સાર્વજનિક સ્વાસ્થ્ય નિષ્ણાંત-
જો આપણે સંક્રમિત થઈ ચુકેલી વસ્તીના ડેટાનું વિશ્લેષણ કરીએ તો, વેક્સિનેશન કવરેજ અને ઓમિક્રેન ફેલાવાના પુરાવા જોઈએ તો, આ તર્કસંગત નિષ્કર્ષ નિકળે છે કે, ભારતમાં કોવિડ 19 મહામારી સમાપ્ત થઈ ચુકી છે. ભારત માટે કેટલાય મહિના સુધી ત્યાં સુધી કે, નવા વેરિએન્ટ સાથએ નવી લહેર આવવાની શક્યતા ઓછી છે. આપણે જાણીએ છીએ કે, એન્ટીબોડીનું સ્તર સમયની સાથે ઘટતું જાય છે. પણ હાઈબ્રિડ ઈમ્યુનિટી સુરક્ષા આપે છે. તેનાથી વધારે મહામારી આ તબક્કામાં સંક્રમણ અને નવા કોવિડના કેસો ચિંતાનો વિષય નથી. આવી રીતે સંક્રમણોનું શું પરિણામ હોઈ શકે, તેના આધાર પર સ્થિતિનું આકલન કરવું યોગ્ય નથી.
ચોથી લહેરની શક્યતા ઓછી છે, આવું એટલા માટે છે કારણ કે, ભારતમાં ઓછામાં ઓછા 97 ટકા લોકોને ઓછામાં ઓછો એક ડોઝ લાગી ચુક્યો છે. જ્યારે 75 ટકાથી વધારે વસ્તી વેક્સિનેટે઼ડ થઈ ચુકી છે. નેચરણ ઈમ્યુનિટી પણ વધારે છે, આપણે એક એવી અવસ્થામાં છીએ, જ્યાં વર્તમાન ચરણ સમાપ્ત થઈ ગયું છે અને ચોથી અથવા પાંચમી લહેર દેખાતી નથી.
જયપ્રકાશ મુલીલ, મહામારી નિષ્ણાંત અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજીની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના અધ્યક્ષ:
અન્ય લહેર આવશે કે કેમ તેની કોઈ ચોક્કસ આગાહી કરી શકતું નથી, પરંતુ અમારા વ્યાપ અને રસીકરણ કવરેજને જોતાં, હું કહીશ કે ચોથી લહેરની શક્યતા અસંભવિત છે, પરંતુ તેનો અર્થ એ નથી કે વેરિઅન્ટ્સ બદલાશે નહીં અને અમારી ચિંતાનું કારણ બનશે નહીં. SARS CoV 2 (ગંભીર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ - SARS) હંમેશા આસપાસ રહેશે, આપણે ફક્ત વાયરસ સાથે જીવવાનું શીખવું પડશે, જેમ આપણે અન્ય પ્રકારના વાયરસ સાથે કર્યું છે. મને નથી લાગતું કે કેસો ચિંતાનું કારણ હશે અને ન તો તેની ઘાતકતા કોઈ મુદ્દો હશે, પછી ભલે તે 2022 માં ટોચ પર આવે.
ડો. માર્ક લેન્સલોટ પિન્ટો, શ્વસન નિષ્ણાત:
અહીં બે અલગ અલગ બાબતો ધ્યાનમાં લેવા જેવી છે. પ્રથમ, શું કોવિડ અથવા તેના પ્રકારો ફરીથી દેખાશે? હા, મને ખાતરી છે કે તે આવશે. વાયરસના નવા આનુવંશિક સંયોજનો સાથે પણ, તે ભવિષ્યમાં આપણી પાસે આવી શકે છે, પરંતુ શું ત્યાં બીજી લહેર હશે, એટલે કે ચેપના વધુ કેસો હશે અથવા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં દાખલ થશે ? ના, આગામી લહેરની શક્યતા ઘણી ઓછી છે, કારણ કે આપણે સારી રીતે તૈયાર છીએ અને જો બીજી લહેર આવે તો પણ આપણે તેને ચરમ પર જતા અટકાવી શકીશું. રાજ્ય મુજબની તૈયારીઓ એ પણ સૂચવે છે કે ચોથી લહેર જૂન અથવા ઓગસ્ટમાં આવે અને ભારતને ત્રાટકે તેવી શક્યતાઓ અત્યંત ઓછી છે.
ડો. હની સાલ્વા, ઈન્ટરનલ મેડિસિન કન્સલ્ટન્ટ:
મને નથી લાગતું કે ચોથી લહેર કે બીજી કોવિડ લહેર આવશે. કારણ કે, અમે દેશની મોટાભાગની વસ્તીને રસી આપી છે અને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યા છે. તેથી, હવે આપણું ધ્યાન તમામ નિયંત્રણો દૂર કરવા પર હોવું જોઈએ અને માત્ર ડર સાથે જીવવા પર નહીં. કોઈ ભવિષ્ય વિશે વાત કરી શકે નહીં, પરંતુ આપણે બધું સામાન્ય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
શું ચોથી લહેર આવશે ? આગળ શું થશે તેની આગાહી કરવી ખૂબ મુશ્કેલ છે. કોવિડ બદલાતો રહેશે. તે વાયરસનો સ્વભાવ છે. આ વધુ ચેપી રોગના લક્ષણો છે કે નહીં તે એવી વસ્તુ છે, જે આપણે જાણતા નથી. અમને ખબર ન હતી કે પ્રથમ લહેર ક્યારે આવી, બીજી લહેર ક્યારે આવી. અમને ખબર નથી કે, કયો પ્રકાર હળવો અથવા વધુ આક્રમક હશે. આપણે જાગૃત રહેવાની જરૂર છે. હું તમને શું કહી શકું તે એ છે કે અમે કોઈપણ લહેરનો સામનો કરવા માટે વધુ સારી રીતે તૈયાર છીએ. અમારી તૈયારીઓ ચોથી લહેરને ભારત પર ન આવવા દે.
ભારતે ગયા વર્ષે વિનાશક બીજી લહેરનો અનુભવ કર્યો હતો, જે ખૂબ જ કમનસીબી હતી, પરંતુ તે વર્તમાનમાં આપણી મુખ્ય શક્તિ છે, કારણ કે કુદરતી ચેપનું વધુ સારું અને લાંબું રક્ષણ પૂરું પાડે છે. સમયગાળો મોટા પ્રમાણમાં રસીકરણ કવરેજ, જેથી ભવિષ્યમાં કોઈ પણ લહેરની ગંભીર અસર થવાની શક્યતા નથી. મને વિશ્વાસ નથી કે, આવનારા સમયમાં ભારતમાં ચોથી લહેર આવશે. હવે સમય આવી ગયો છે, જ્યારે ભારત સરકાર માસ્ક પહેરવાના આદેશમાં છૂટછાટ આપવા પર વિચાર કરી શકે છે.
ચીન, જર્મની, અમેરિકા જેવા કેટલાક દેશોમાં કોવિડ-19ના વધતા જતા કેસો સાથે, ભારતમાં ચોથી લહેરની શક્યતા ચારે તરફ ફેલાઈ રહી છે. 19મી સદીની શરૂઆતમાં મહામારીના ભૂતકાળના અનુભવના આધારે એવું કહી શકાય કે પ્રથમ, બીજી, ત્રીજી અને પછી ચોથી અને પાંચમી લહેરો આવશે અને તે પછી મહામારીનો અંત આવશે. જો કે, ભારતમાં વધુ સારી સ્થિતિને જોતા, મને લાગે છે કે ચોથી લહેર આવવાની નથી, કારણ કે ખૂબ જ ઘાતક ડેલ્ટા વેરિઅન્ટ અને ઓમિક્રોનની ત્રીજી લહેર ચેપગ્રસ્ત લોકોને કુદરતી રોગપ્રતિકારક શક્તિ આપી છે, તેની સાથે રસીકરણનો દર પણ સારો છે. તેમ છતાં, આપણે બેદરકાર ન રહેવું જોઈએ અને કોવિડ મુજબ વર્તન કરવાનું ચાલુ રાખવું જોઈએ.
વિકાસ મૌર્ય, ડાયરેક્ટર-એચઓડી, પલ્મોનોલોજી ફોર્ટિસ હોસ્પિટલ, શાલીમાર બાગ:
હવે પછીની લહેર આવશે કે નહીં તે અનુમાન કરવું મુશ્કેલ છે. ભવિષ્યમાં કોવિડ વાયરસ કેવી રીતે વિકસિત થશે તે કહેવું મુશ્કેલ છે. અમે જોયું છે કે વાયરસ કેવી રીતે પરિવર્તિત થાય છે - જેમ કે આલ્ફા, ગામા, ડેલ્ટા અને પછી ઓમિક્રોન. ચેપની સંખ્યા ઘટી રહી હોવા છતાં, આપણે COVID પ્રોટોકોલનું સખતપણે પાલન કરવાનું ચાલુ રાખવું જોઈએ અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. અંગત રીતે, મને નથી લાગતું કે ભારતમાં ગમે ત્યારે ચોથી લહેર જોવા મળશે. અમે કેટલાક રાજ્યોમાં જોઈ શકીએ છીએ, જ્યાં રસીકરણ કવરેજ ઓછું છે, પરંતુ સંપૂર્ણ રીતે નથી થઈ રહ્યું તેના વિશે વિચારવાની હજૂ પણ જરૂર છે, જેથી આવનારા સમયમાં કોઈ પણ પરિસ્થિતી સામે આપણે લડી શકીએ.