પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ પેપર લીક થયું હોવાના ખુલાસા બાદ હવે ગમે ત્યારે હેડ ક્લાર્કની પરીક્ષા રદની સત્તાવાર જાહેરાત થશે
પેપર લીક થતા હેડ ક્લાર્કની પરીક્ષા રદ-સૂત્ર
GSSSB દ્વારા સત્તાવાર રીતે કરશે જાહેરાત-સૂત્ર
નિયત સમય પહેલા પેપર લીક થતા પરીક્ષા રદ થશે-સૂત્ર
પેપર સાણંદની પ્રિન્ટિંગ પ્રેસમાંથી 10 ડિસેમ્બરે જ લીક થયું હોવાના પોલીસના ખુલાસા બાદ હવે ડ ક્લાર્કની પરીક્ષા રદ થશે તેવી પૂરેપૂરી શકયાતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ GSSSB હવે ગમે ત્યારે સત્તાવાર રીતે પેપર રદ્દની જાહેરાત કરી શકે છે. નિયત સમય પહેલા પેપર લીક થતા પરીક્ષા રદ થશે.
પેપર લીક મામલે ગાંધીનગર રેન્જ IG અભય ચુડાસમાએ કર્યા મોટા ઘટસ્ફોટ
પેપરલીક મામલે ગાંધીનગર રેન્જ IGએ કહ્યું સાણંદના કિશોર આચાર્ય જે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે તેણે આ પેપર ફોડ્યું તેણે આ પેપર મંગેશ સીરકેને આપ્યુ, દિપક મહેન્દ્રભાઇ પટેલ જે સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે તે અને દેવલ પટેલ જે પેપર કાંડમાં મુખ્ય આરોપી છે તે બંને સાથે કામ કરે છે. દિપક પટેલનું પૂછપરછ કરતાં મંગેશ સીરકેનું નામ સામે આવ્યું હતું. જેની પોલીસે સઘન પૂછપરછ કરતાં તેણે પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારી કિશોર આચાર્ય પાસેથી પેપર લીધું હોવાનું કબૂલ્યું હતું. પોલીસે કિશોરની પૂછતાછ કરતાં તેણે કબૂલ્યું હતું કે 10 તારીખે ખાનગી રીતે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ચોરી મંગેશ સીરકેને રૂપિયા લઈ આપી દીધું હતું. મંગેશ સીરકે પાસેથી પોલીસે 7 લાખ રૂપિયા પણ કબજે કર્યા છે. મંગેશ સીરકેએ 10 તારીખે જ પેપર પ્રેસના કર્મચારી કિશોર આચાર્ય પાસેથી લીધું હતું જે બાદ દિપક મહેન્દ્રભાઇ પટેલ, દેવલ પટેલને આ પેપર રૂપિયા લઈ આપી દીધું હતું
આ કડી મહત્વની સાબિત થઈ
પેપર લીક કેસમાં હવે અમદાવાદના એમ્બ્યુલન્સ ચાલકનું નામ સામે આવ્યું હતું. દીપક નામના એમ્બ્યુલન્સ ચાલક પાસેથી જ પેપર લીક કેસના મુખ્ય આરોપી જયેશ અને દેવલ પટેલે 30 લાખ રૂપિયામાં પેપર ખરીદ્યું હોવાની ચર્ચા છે. દીપક ઉપરાંત અમદાવાદના સિંગરવા અને વાડજના યુવકોની પણ આ જ કેસમાં અટકાયત કરવામાં આવી હતી. જે બાદ મંગેશ શિર્કે જે અમદાવાદની ઓઢવની હોસ્પિટલમાં નોકરી કરે છે તેના સુધી કડી મળી હતી. ત્યાર બાદ સૌથી મોટો ખુલાસો થયો હતો કે સાણંદની પ્રેસ કે જ્યાં પરીક્ષાના પેપર છપાય છે ત્યાંના મેનેજર કિશોર આચાર્ય પાસેથી પેપર લીધું હતું. જે બાદ તપાસનો રેલો પ્રિન્ટિગ પ્રેસ સુધી પહોંચ્યા હતો આરોપી મેનેજરની કડક પૂછપરછ કરવામાં આવતા કિશોર આચાર્યએ ચોરીથી પેપર પ્રેસમાંથી લઈ લીધું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ તેણે મંગેશ શિર્કેને અને શિરકેએ તે પેપર દિપક મહેન્દ્રભાઇ પટેલ, દેવલ પટેલને આ પેપર આપી દીધું હતું. જેમણે પણ અન્યોને આ પેપર પહોંચાડી સમગ્ર કાંડ રચ્યો હતો. આ ખુલાસા બાદ હવે પેપર રદનો નિર્ણય લેવાય તો નવાઈની વાત નથી