શું તમને પણ એવો મેસેજ આવ્યો છે જેમાં લખેલું હોય કે દેશમાં લોકડાઉન લાગાવવામાં આવશે?
શું ફરી આવવાનું છે દેશવ્યાપી લોકડાઉન?
વાયરલ થઈ રહ્યા આવા મેસેજ
જાણો વાયરલ મેસેજની શું છે સચ્ચાઈ?
એક વખત ફરી દેશવ્યાપી લોકડાઉન લાગવાનું છે અને દિલ્હી સુધી દરેક ટ્રેન સેવાઓ બંધ રહેશે. શું તમને પણ કોઈ આવો મેસેજ આવ્યો છે? જો હા, તો તમારા માટે આ ખબરની પુષ્ટી ખૂબ જ જરૂરી છે. હકીકતે, એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસની ત્રીજી લહેરને જોતા દેશમાં એક વખત ફરી લોકડાઉન લગાવવામાં આવશે. PIB ફેક્ટ ચેકે તેની જાણાકારી આપી છે.
दावा: #कोरोनावायरस संक्रमितों की संख्या बढ़ने से कल सुबह से देशभर में लॉकडाउन लगाया जाएगा और दिवाली तक देश में सभी ट्रेन सेवाएं बंद रहेंगी।#PIBFactCheck
શું છે દાવાની સચ્ચાઈ ?
PIB ફેક્ટ ચેકે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ખબર વિશે જણાવ્યું કે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાના કારણે કાલ સવારથી દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવશે. તે ઉપરાંત દિવાળી સુધી દેશભરમાં દરેક ટ્રેન સેવાઓ બંધ રહેશે. તેમાં જણાવવામાં આવ્યું છે કે બને દાવાઓ સંપૂર્ણ રીતે નકલી અને ખોટા છે. કેન્દ્ર સરકારે આવી કોઈ જાહેરાત નથી કરી.
PIBએ શેર કર્યો છે સ્ક્રીનશોર્ટ
PIB ફેક્ટ ચેકે પોતાની ટ્વીટમાં આ મેસેજનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. તેમાં દેખાઈ રહ્યું છે કે ભારત સરકારે દેશવ્યાપી લોકડાઉન અને ટ્રેન સેવાઓને બંધ કરવાને લઈને કોઈ પણ જાહેરાત નથી કરી. તે વચ્ચે ચેનલનો સ્ક્રીનશોટ પણ જોવા મળી રહ્યો છે. જેમાં લખ્યું છે. "ત્રીજી લહેર ખતરનાક, કાલ સવારથી લોકડાઉન, દિવસમાં સાત લાખ કોરોના સંક્રમિત." નીચે બેક્રિંગ ન્યૂઝ લખ્યું છે કે દેશમાં દરેક ટ્રેન સેવાઓ દિવાળી સુધી બંધ અને તેના પર ફેડનો લાલ રંગનો માર્ક લગાવ્યો છે.
જો તમારા પાસે પણ આવો કોઈ વોટ્સએપ મેસેજ આવ્યો છે તો તેનાથી સતર્ક રહો. તે સંપૂર્ણ રીતે ખોટો છે. તેના પર બિલકુલ પણ વિશ્વાસ ન કરો અને તેને કોઈ બીજા વ્યક્તિને આગળ ફોરવર્ડ ન કરો. આજકાલ આવા નકલી મેસેજનું ચલન ખૂબ વધી રહ્યું છે.