મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે અયોધ્યા પહોંચ્યાં છે. ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિર નિર્માણને લઇને મોટી જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરના નિર્માણ માટે 1 કરોડ રૂપિયાનું દાન અર્પણ કરવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે અયોધ્યાં પહોંચ્યાં
રાજ્ય સરકારના 100 દિવસ પૂર્ણ થવા પર આવ્યો છું અયોધ્યા
મંદિરના નિર્માણ માટે એક કરોડનું દાન અર્પણ
મુખ્યમંત્રી તરીકે 100 દિવસ પુરા થવા પર ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં દર્શન કરવા પહોંચ્યાં છે. ઉદ્ધવ ઠાકરેની સાથે તેમના દિકરા અને મંત્રી આદિત્ય ઠાકરે પણ હાજર રહ્યાં.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અયોધ્યા આવવું મારા માટે સૌભાગ્યની વાત છે. હું વારંવાર અયોધ્યા આવીશ. જગ્યા મળવા પર અયોધ્યામાં મહારાષ્ટ્રનું નિર્માણ કરીશું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આરતીમાં સામેલ થવાની ઇચ્છા હતી.
Maharashtra Chief Minister and Shiv Sena Chief Uddhav Thackeray in Ayodhya: Today, I want to announce that not from the state govt, but from my trust, I offer an amount of Rs. 1 crore. #RamTemplehttps://t.co/HaoGjnu7aEpic.twitter.com/LKsWY9Ab3E
આ વચ્ચે ઉદ્ધવ ઠાકરેનો વિરોધ કરનારા સંત મહંત અને હિંદુ મહાસભાના જિલ્લાઅધ્યક્ષને નજરબંધ કરવામાં આવ્યાં છે. હનુમાનગઢીના મહંત રાજુ દાસ, હિંદુ મહાસભાના મહંત પરશુરામ દસ પણ નજરબંધ છે.
મંદિર નિર્માણ માટે 1 કરોડના દાનની જાહેરાત
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરના નિર્માણ માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી એક કરોડના દાનની જાહેરાત કરી. ઉદ્ધવ ઠાકરેએ જૂના દિવસો યાદ કરતા કહ્યું કે મને યાદ છે જ્યારે મારા પિતાજી અહીં આવ્યાં હતા. મહારાષ્ટ્રના ગામે-ગામથી પથ્થર મોકલવામાં આવ્યાં છે.
Maharashtra Chief Minister and Shiv Sena Chief Uddhav Thackeray in Ayodhya: Main BJP se alag hua hun, Hindutva se nahi. BJP ka matlab Hindutva nahi hai. Hindutva alag hai, BJP alag hai. pic.twitter.com/DWCQJqebXi