કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંહે કહ્યુ કે PM-કિસાન યોજનાના હેઠળ ખેડૂતોને કેન્દ્ર સરકારની તરફથી મળનારી વાર્ષિક 6000 રૂપિયાની સહાયતા રકમનો પહેલો હપ્તો 31 માર્ચ સુધી મળી જશે. કૃષિ મંત્રીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે કોઇ રાજ્ય પોતાની તરફથી અલગ રકમ આપવા ઇચ્છે તો તેઓ આપવા માટે સ્વતંત્ર છે.
કૃષિ મંત્રીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે ''અમે ખેતી યોગ્ય 2 એકર જમીનના માલિકાના હક ધરાવતા નાના તથી સીમાંત ખેડૂતોના આકંડા 15 દિવસ સુધી મળી જવાની શક્તા છે. અમારા અધિકારીઓ મંગળવારના રાજ્યોની સાથે વીડિયો કોન્ફરન્સની વાતચીત કરી જેમાં રાજ્યોને 15 દિવસની અંદર આકંડા ઉપલબ્ધ કરાવવાની વાત કરી. રાજ્યોનીપસાતે તે ખેડૂતોની જાણકારીઓ (આધાર જનધન બેંક ખાતુ અને મોબાઇલ) છે જેમણે વિભિન્ન યોજનાઓ હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)નો લાભ મળી રહ્યો છે. તમામ આંકડાઓ જમા કરીને વેરિફાઇ કરવામાંઆવશે અને પછી કેન્દ્રીય કૃષિ મંત્રાલયને વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. 31 માર્ચ સુધી દરેક લાભર્થીના એકાઉન્ટમાં પહેલો હપ્તો 2000 રૂપિયા નિશ્ચિત રૂપથી મોકલી દેવામાં આવશે. આ રૂપિયા સીધા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે કુલ મળીને તમામ લાભાર્થીઓની ડિટેલ્સ અને હાલની યોજનાઓ હેઠળ તમામ રાજ્યોની પાસે જમા આકંડાની સાથે વેરિફાઇ કરવામાં આવશે.''
કૃષિ મંત્રીએ આગળ જણાવ્યુ કે ખેડૂતોને ખબર છે કે તેમના માટે આ સહાયતા રકમ કેટલી મહત્વપૂર્ણ છે. લોકો શહેરોના એર કન્ડિશનર રૂમમાં બેસીને નથી સમજી શકતા. આ યોજના નાના તથા સીમાંત ખેડૂતો માટે છે જેમની પાસે અડધા એકર 1 એકર અથવા 2-4 એકર જેટલી જમીન છે. આ વાર્ષિક સહાયાતા રકમ છે જેને દર ચોથા મહિને 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવશે.''
કૃષિ મંત્રી રાધા મોહન સિંહે ઇન્ટરવ્યૂમાં તેમ પણ કહ્યુ કે ''અમારી પાસે સંસાધન વધશે તો રકમ જરૂરથી વધારવામાં આવશે. આ સિવાય રાજ્ય પણ પોતાના ખેડૂતોને કેટલીક રકમ વધારીને મદદ કરી શકે છે. તેલંગાણાનું ઉદાહરણ સામે છે કે ગત વર્ષે જ તેની શરૂઆત થઇ હતી. ઓડિશા પણ કરી રહ્યુ છે. અંતરિમ બજેટના એક દિવસ પછી ઝારખંડના સીમાંત ખેડૂતોને કેન્દ્ર સરકારના 6000 રૂપિયાથી અતિરિક્ત 6000 રૂપિયાની મદદથી જાહેરાત કરી છે. આ વિચાર એ છે કે ઇન્કમ સપોર્ટની તમામ સબ્સિડીઝને શામેલ કરી દેવામાં આવે. પરંતુ PM-કિસાન યોજના આ સબ્સિડીઝીની સાથે મળશે જે ખેડૂતોને વિભન્ન યોજનાઓની હેઠળ મળી રહી છે. હાલની યોજનાઓમાં તમામ સબ્સિડીઝ ખેડૂતોને મળતી રહેશે. આ સબ્સિડીઝ પર રોક લગાવવામાં આવી તો વિરોધ થઇ શકે છે.''
આગળ તેમણે જણાવ્યુ કે ''જે લોકો પાસે હજુ ક્રેડિટ કાર્ડ નથી તેમાથી ઓછામાં ઓછા અડધા ખેડૂતોને તે ઉપલબ્ધ કરાવવા માટે સરકાર સરળ એપ્લિકેશન ફોર્મ લઇને અભિયાન ચલાવશે. રાજ્યોને કહેવામાં આવ્યુ છે કે KCC જારી કરીને આ પ્રક્રિયામાં ઝડપી કરવા માટે ગામ તથા બેંકોમાં કેમ્પ લગાવે. આ સિવાય ઇન્ડિયન બેંક એસોસિયેશનમાં તમામ બેંકોના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ અને ક્રોપ લૉનની પ્રોસેસિંગ ડોક્યુમેન્ટેશન ઇન્સપેક્શન સહિત અન્ય ચાર્જિસ ખત્મ કરી દેવાનો આદેશ આપ્યો છે.''