કસૌટી ઝીંદગી કે-2ન મેકર્સ પર હાલમાં જાણે મુશ્કેલીનો વરસાદ થઇ રહ્યો હોય તેમ લાગે છે. ગયા અઠવાડિયે જ શૉના લીડ કેરેક્ટર પાર્થ સમથાને શૉને અલવિદા કહી દીધુ હતું ત્યારે હવે ખબર આવી છે કે લીડ એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિસે પણ પિતાની તબિયત ખરાબ હોવાને કારણે શૉને ગુડબાય કહી દીધુ છે પરંતુ ઓફિશીયલ જાણકારી હજુ સુધી આવી નથી. એવી પણ ચર્ચા થઇ રહી છે કે એરિકાને દિવ્યાંકા ત્રિપાઠી રિપ્લેસ કરી શકે છે.
કસૌટી..માં આવશે ટ્વીસ્ટ
એરિકાને રિપ્લેસ કરશે દિવ્યાંકા
દિવ્યાંકાએ ગણાવી અફવા
થોડા સમય પહેલા જ યે હે મોહાબ્બતેમા દિવ્યાંકાના કો-સ્ટાર રહી ચૂકેલા કરણ પટેલે શૉમાં એન્ટ્રી મારી છે. હવે તેવી અફવા છે કે રમણ ભલ્લા સાથે ફરી એકવાર દેખાશે ઇશીતા રમણ ભલ્લા, પરંતુ દિવ્યાંકાએ પોતે જ આ ખબરને અફવા ગણાવી છે.
દિવ્યાંકાએ પોતે જ લખ્યુ કે, પ્રેરણા બાસુ તરીકે તે કસૌટી..માં નથી આવી રહી. જે લોકો કેર કરે છે તે લોકોને જણાવી દેવા માગુ છુ કે આ એક અફવા છે.
સાહિલ આનંદ પણ છોડી રહ્યાં છે કસૌટી..
પાર્થ સમથાન અને એરિકાની સાથે સાથે કસૌટી...માં અનુપમનું પાત્ર ભજવનાર સાહિલ આનંદ પણ શૉને છોડી રહ્યાં છે. ત્યારે શૉના મેકર્સ પર તે વાતને લઇને તણાવ આવશે કે હવે એરિકાને કોણ રિપ્લેસ કરશે.