ક્રિકેટરથી રાજનેતા બનેલા ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયામાં સારી બેટિંગ માટે જાણીતો છે. ગૌતમે ઘણી મેચોમા સારી ઑપનરની ભૂમિકા ભજવી છે. એવામાં શું ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી રહેલા ગંભીર રાજનીતિમાં શું સેન્ચુરી કરી શકશે?
ભાજપે ગૌતમ ગંભીરે પૂર્વી દિલ્હીના લોકસભા ક્ષેત્રમાંથી પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. મંગળવારે તેમણે ઘરે પૂજા પાઠ કર્યા, જે પછી રોડ શો કર્યો અને નામાંકન દાખલ કર્યુ. ગૌતમ ગંભીરને પૂર્વી દિલ્હીથી વર્તમાન સાંસદ મહેશ ગિરીની જગ્યાએ ચૂંટણી મેદાન પર ઉતારવામાં આવ્યો છે. આ સીટ પર તેમની વિરુદ્ઘ કોંગ્રેસના ઉમેદવાર અરવિંદર સિંહ લવલી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી છે.
58 ટેસ્ટ મેચ અને 147 ODI મેચ રમી ચૂકેલા દિગ્ગજ બેટ્સમેન ગંભીર 2007માં T-20 વર્લ્ડ કપ અને 2011માં વનડે વર્લ્ડ કપ વિરુદ્ઘ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમમાં સભ્ય રહ્યો હતો. 2011માં વર્લ્ડકપમાં તેણે 122 બૉલમાં 97 રન કર્યા હતા.
એક રિપોર્ટ અનુસાર, દિલ્હીએ રાજિંદર નગરમાં રહેનારા ગંભીર 2014ના લોકસભા ચૂંટણી દરમિયાન અમૃતસરમાં ભાજપના ઉમેદવાર અરૂણ જેટલીના હાઇપ્રોફાઇલ ચૂંટણી પ્રચારક હતા, જોકે ભાજપ આ ક્ષેત્રમાં ચૂંટણી જીતવા માટે અસફળ રહી.
મંગળવારે ગૌતમ ગંભીરે રોડ શોમાં કહ્યુ કે, ''ભારતીય જનતા પાર્ટીની વિચારધારા આગળ વધારવાનું કામ કરશે.'' અને સાથે જ કહ્યુ કે, ''હું દેશ માટે કામ કરવા ઇચ્છુ છું.'' ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીર ઔપચારિક રીતે 22 માર્ચના ભાજપમાં શામેલ થયો હતો, ગંભીરનુ ભાજપ જોઇન કર્યા પછી પાર્ટીને આશા છે કે, કાર્યકર્તાઓનો ઉત્સાહ વધશે અને ફેન્સ પણ બૂથ સુધી વધારે આવશે.